SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર વિભાગ - ૧ પ૩૨ પ્રશ્ન સિદ્ધ ભગવંતમાં અનંત ચતુષ્ક કર્યું જ્ઞાન, દર્શન, વીર્ય અને સુખ શ્રીયોગ શાસ્ત્રમાં કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચંદ્ર સૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે मुक्ता एक स्वभावाः स्यु, जन्मादि कलेश वर्जिताः । अनंत दर्शन ज्ञान वीर्यानंदमयाक्षते ।।1।। જન્મઆદિ કલેશથી રહિત મુક્ત આત્માઓ એક સ્વભાવવાળા હોય છે તે આત્માઓ અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતવીર્ય અને અનંત સુખમય હોય છે. પ૩૩ પ્રશ્ર વ્યવહારી જીવો અને અવ્યવહારી જીવો કોને કહેવાય? ઉત્તર પંચદંડ કથામાં કહેવાય છે કે અનાદિ સૂક્ષ્મ નિગોદ અવ્યવહારી બાકી સર્વ વ્યવહારી તથા શ્રી પન્નવણાના ૧૮મા પદની ટીકામાં કહેલ છે કે અનાદિ નિગોદમાંથી નીકળી પૃથ્વી કાયાદિકમાં આવી તે ફરીથી નિગોદમાં જાય તો પણ વ્યવહાર કરેલ હોવાથી તે સંવ્યવહારી જાણવો અને જે અનાદિ કાલથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યો જ નથી તે અવ્યવહારી જાણવો. પ૩૪ પ્રશ્ર દેવોને નિદ્રા હોય? ઉત્તર દેવોને નિદ્રા ન હોય. શ્રી રાયપાસણીની ટીકામાં તેનો ઉલ્લેખ છે. સૂર્યાભ વિમાનવાસી દેવદેવીઓ યથા સુખ બેસે છે. કાયાપસારી શૈયામાં જાગતા સુવે છે કારણ કે દેવોને નિદ્રા ન હોય. પ૩૫ પ્રશ્ન ઔષધ તથા ભેષજ શબ્દનો એક જ અર્થ છે કે ભિન્ન? ઉત્તર શ્રી વિપાકસૂત્રની ટીકામાં કહ્યું છે કે એક દ્રવ્યને ઔષધ તરીકે (૨૪૭) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy