SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીઓના આહારનો નિષેધ કર્યો છે તે દારિક શરીર માટે યુક્ત નથી કારણ કે અન્ન સિવાય શરીર સેંકડો લાખો કે કરોડો વર્ષ સુધી ટકી શકતું નથી. ૬. વિવિધ પ્રશ્નોત્તર (ભા. ૧-૨) સકલાગમ રહસ્યવેદી પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ દાનસૂરીશ્વરજી મહારાજા સંકલિત વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથ નામ પ્રમાણે ગુણ ધરાવતો એક અમૂલ્ય ગ્રંથ છે. તેમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં ૧૭૯ અને બીજા વિભાગમાં ૧૫૩ એમ ૩૩૨ પ્રશ્નોનો સંચય થયો છે. આ ગ્રંથની કેટલીક વિશિષ્ટતાઓ જોઈએ તો તેમાં પ્રત્યેક પ્રશ્નના ઉત્તરમાં શાસ્ત્રીય આધાર આપવામાં આવ્યો છે. માત્ર ગ્રંથનો નામોલ્લેખ નથી પણ મૂળ પાઠ સંસ્કૃત કે પ્રાકૃતમાં આપવામાં આવ્યો છે. ઉત્તરને અંતે એકાદ બે વાક્યમાં સારાંશ દર્શાવવામાં આવ્યો છે. વિવિધ પ્રશ્નોત્તર ગ્રંથોમાં માત્ર આ ગ્રંથમાં ઉપરોક્ત શેલી જોવા મળે છે. દા.ત. : મૂળાના પત્ર આદિ ભક્ષ્ય કે અભક્ષ્ય છે? ઉત્તર : મૂળાનાં પાંચ અંગ પત્ર, દાંડલા, મોગરા આદિ અભક્ષ્ય છે. શ્રી રનશેખરસૂરીમહારાજ શ્રી શ્રાદ્ધવિધિમાં જણાવે છે સારાંશ - મૂળાનાં પાંચ અંગો ત્યાગ કરવા યોગ્ય છે. (પા. ૨૪) તેમાં મુખ્યત્વે ભક્ષ્યાભઢ્ય, સાધુ-સાધ્વી આચાર, સિદ્ધ ભગવંત, દેવલોક, નરકગતિ, ગુણસ્થાનક, સામાયિક, પૌષધ, ઉપધાન, દીક્ષા, વડીદીક્ષા, તિથિક્ષય વૃદ્ધિ, મોક્ષ, આર્યાછંદ, જિનાલયની વિધિ, સ્થૂલિભદ્ર, જ્યોતિષ, ભગવાન, ઋષભદેવ અને મહાવીર સ્વામી, અસ્વાધ્યાય, ગ્રહણ, પ્રત્યાખ્યાન, આશ્રવ, શ્રાવકના અતિચાર, પર્યુષણ જેવા વિવિધ વિષયોને અનુલક્ષીને પ્રશ્નોત્તર ગ્રંથ રચાયો છે. આ ગ્રંથ અન્ય ગ્રંથો સમાન માહિતીસભર હોવાથી ચતુર્વિધ સંઘને કેટલીક શંકા હોય તો તેનું નિવારણ થાય છે. આ ગ્રંથના કેટલાક પ્રશ્નો નમૂના રૂપે નીચે પ્રમાણે નોંધવામાં આવ્યા છે. ૨૪૬) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy