SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વત છે. જે હાલ કૈલાસ પર્વત તરફ છે કે જ્યાં ઘણો બરફ વરસે છે તેવા સ્થાને છે. કૈલાસ નામ અષ્ટાપદજીનું બીજાં નામ હોવાનો સંભવ છે. વિનીતાયા દ્વિતિશયોનનારા૫૯ રુતિ પ્રઘોષઃ કૃતરિત (સેન. ઉ. ૪ પ્ર. ૧૯૧) ૫૦૦ પ્રશ્ન મૂર્તિને નહિ માનનારને સુધારક ગણી શકાય? ઉત્તર પ્રભુની મૂર્તિને નહિં માનનાર સુધારક ન ગણાય પરંતુ નિંદક કહેવાય. સુધારક તો તે છે કે જિનેશ્વર ભગવંતના વચન પ્રમાણે ચાલી પોતાના આત્માનો સુધારો કરે અનાદિ જડતાવાળી કુચાલને હરે અને ક્ષણે ક્ષણે પ્રભુજીને આરે. ૫૦૮ પ્રશ્ન અષ્ટપ્રકારી પૂજાનું વિધાન કયા ગ્રંથમાં છે? ઉત્તર શ્રી અનંતનાથ ભગવાનની પ્રાકૃત ચરિત્રમાં અષ્ટપ્રકારી પૂજાથી થતાં ફળોનાં વર્ણનરૂપ કથાઓ છે તેથી શ્રી જિનેશ્વર ભગવાનોના ચરિત્રથી અષ્ટપ્રકારી પૂજા સિદ્ધ થાય છે. વળીથી રાયપાસેણી સૂત્રમાં સૂર્યાભદેવે અનેક દ્રવ્યોથી જિનપૂજા કરી છે. અષ્ટોત્તરી સત્તાવીશ પ્રકારી, એકવીશ પ્રકારી સત્તરભેદી અને અષ્ટપ્રકારી એમ પૂજાઓના ભેદો છે તેમાંથી ઓછામાં ઓછી અષ્ટપ્રકારી પૂજા પુણ્યશાળીઓ જ કરે છે. ૫૦૯ પ્રશ્ર દહેરાસરમાં ભગવાનનું ત્રિગડું હોવાનું ક્યારથી લેખ છે? ઉત્તર શ્રી જિનેશ્વરભગવંત ત્રણ ગઢની અંદર રહેલા સમવસરણમાં બિરાજી દેશના દેતા હતા. તે ત્રણ ગઢના અપભ્રંશ તરીકે ત્રિગડું બન્યું છે એટલે ત્રિગડું આજનું નથી. ૫૧૦ પ્રશ્ન સાંજે દહેરાસરમાંથી નીકળ્યા પછી દહેરાસરના ઓટલા પર લોકો બેસે છે તેનું શું કારણ? ઉત્તર જિનબિંબોના દર્શનાદિ કરી જિનાલયના ઓટલા ઉપર ૨૪૧) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy