SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૪ પ્રશ્ન ઉત્તર ૪૬૫ પ્રશ્ન ઉત્તર ૪૬૬ પ્રશ્ન ઉત્તર પગ હોય છે. તેઓ મનુષ્ય ભાષામાં બોલે છે અને તેઓનું મૃત્યું જુદા ફળની ઈચ્છાથી થાય છે આવા વચન ઉપરથી પણ તેઓના પ્રાણનો કોઈ નિયમ કરવામાં આવ્યો નથી તો પણ પંડિતશ્રી ખાંતિવિજય ગણિના વચનથી, ભટ્ટારકશ્રી લક્ષ્મીવિજય સૂરિના વચનથી તથા અમારા ગુરૂ પંડિતશ્રી શુવિજયજી ગણી જેઓ પંડિતોના મુકુટમણિ હતા તથા મહા વિદ્વાન હતા તેમના વચનથી જણાય છે કે ઉત્પત્તિ સમયે બંને જીવો અંતમુહૂર્તમાં એકી સાથે મનઃ પર્યાપ્તિ પૂર્ણ કરે છે તેથી જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેઓને મન એક જ હોય છે અને તે જ કારણથી તેઓના ૧૯ પ્રાણો કહેવાય છે. વૃદ્ધ પુરૂષોના વચનના પ્રમાણથી તથા નિત્ય એક જ મન હોવાને લીધે ભારેંડપક્ષીઓને ૧૯ પ્રાણ હોય છે એમાં કાંઈ વિરુદ્ધ જણાતું નથી. સત્ય વાત તો સીમંધર ભગવાન જાણે. શરીરના સર્વ અંગોમાં ધ્યાન ક૨વાનાં સ્થાનો કયા છે ? બે નેત્ર, બે કાન, મુખ, નાક, લલાટ, તાલુ મસ્તક, નાભિ, હૃદય અને ભ્રુકુટી આટલાં ધ્યાન કરવાનાં સ્થાનો છે. જિન ભગવાનના આહાર-વિહાર શું સમગ્ર મુનિઓને અદૃશ્ય હોય છે ? ભગવાનના આહાર વિહાર ચર્મચક્ષુવાળા એટલે (મતિ-શ્રુત જ્ઞાનવાળાને) અદશ્ય હોય છે પણ જેઓને અવધિજ્ઞાનાદિ જ્ઞાન ઉત્પન્ન થયાં હોય છે તેવા પુરૂષોને અદૃશ્ય નથી. રાવણ અને લક્ષ્મણ કેટલા ભવ પછી સિદ્ધિને પામશે ? રાવણ ચૌદમાં ભવમાં તીર્થંક૨૫દ પામીને સિદ્ધિએ જશે અને લક્ષ્મણ પણ એ જ પ્રમાણે તીર્થંકર પદ પામીને સિદ્ધિએ જશે Jain Education International 2010_03 ૨૨૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy