SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૧ પ્રશ્ન ઉત્તર ૪૬૨ પ્રશ્ન ઉત્તર ૪૬૩ પ્રશ્ન ઉત્તર કરે છે અને પછી દેશના આપે છે એમ સંઘાચા૨ ભાષ્યના વચન ઉપરથી સત્ય વસ્તુ સમજાય છે. પાંચમા આરામાં અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે કે નહીં? કોઈપણ ગ્રંથમાં એમ કહ્યું નથી કે અવધિજ્ઞાનનો વિચ્છેદ થયો છે માટે પાંચમા આરામાં પણ અવધિજ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે. છઠ્ઠા આરામાં બિલવાસી મનુષ્યોમાં ધર્મવાસના રહે છે કે નહીં? છઠ્ઠા આરાના મનુષ્યોમાં કદાચ સમ્યક્ત્વ સંભવે છે પણ તેઓના મન રાગ-દ્વેષ યુક્ત હોવાને લીધે તેઓમાં વિરતિ સંભવતી નથી. એમ ભગવતી, જંબુદ્વીપ પન્નતિ વગેરે ગ્રંથોમાં પ્રમાણથી જણાય છે વળી તે સમયે क्षुद्र ધાન્યની ઉત્પત્તિ થશે અને તે તુચ્છ ધાન્યનું ભોજન ક૨ના૨ા મનુષ્યો સ્વર્ગમાં પણ જશે પરંતુ જેઓ મત્સ્યાહારી થશે તેઓ સ્વર્ગમાં જશે નહીં તેઓ તો દુર્ગતિમાં જ જશે એમ અમે માનીએ છીએ. વળી પાંચમા આરાને અંતે ધર્મનો વિચ્છેદ થાય છે એમ જે કહેવામાં આવ્યું છે તે દેશવિરતિ અને સર્વવિરતિની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે એમ સમજવું. ભા૨ેડપક્ષીઓમાં દરેક પ્રત્યે કેટલા પ્રાણ હોય છે ? ભારંડપક્ષીઓમાં એક એક પ્રત્યે શરીર એક હોય છે, ડોક બે હોય છે, ત્રણ પગ અને એક ઉદર હોય છે. એમ પ્રશ્ન વ્યાકરણમાં કહ્યું છે તેમજ સુબોધિકામાં પણ. एकोदराः पृथग्ग्रीवास्त्रिपदा मत्येभाषिणः भारंडापक्षिणस्तेषां मृत्युभिन्नकलेटछया । ભારંડપક્ષીઓને એક ઉદર હોય છે, બે ડોક હોય છે, ત્રણ Jain Education International 2010_03 ૨૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy