SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ નવપૂર્વમાં કુશળ થયેલો પુરૂષ જ એ ઇંગિત મરણનો અધિકારી હોઈ શકે છે એમ આચારાંગ સૂત્રના આઠમાં અધ્યયનની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે. ૪૫૮ પ્રશ્ર શાસ્ત્રમાં ઘણે સ્થળે જાંભક દેવોનું વર્ણન જોવામાં આવે છે તો ત્યાં જભક શબ્દનો શો અર્થ કરવો? ઉત્તર ज़ुभते स्वच्छंद चारितया ये चेष्टंते ते मुंभकाः । જેઓ પોતાની ઈચ્છાનુસાર યથેષ્ટ વર્તન કરે છે તેઓ જાંભક દેવ કહેવાય છે. ૪પ૯ પ્રશ્ન આપણે સાંભળીએ છીએ કે સાધુઓ પોતાના પહેરવાના વસ્ત્રને ચોલપટ્ટો એવા નામથી ઓળખે છે તો આ ચોલપટ્ટા શબ્દનો મૂળ અર્થ શો છે? ઉત્તર ચોલ' એટલે પુરૂષનું ચિન્હ. તેને ઢાંકવા માટે જે પટ્ટ એટલે વસ્ત્ર તે ચોલપટ્ટ કહેવાય છે. ૪૬૦ પ્રશ્ન શાસ્ત્રમાં પગલે પગલે જોવામાં આવે છે કે જિનેશ્વરો પદ્માસન ઉપર બેસીને દેશના આપે છે. ત્યારે બીજા કેટલાએક આચાર્યો કહે છે કે બાજઠ ઉપર પોતાના બંને પગ મૂકીને તથા સિંહાસન ઉપર બેસીને ભગવાન દેશના આપે છે તો આ વિષયમાં સત્ય શું? ઉત્તર જો કે કેટલાએક કહે છે જિનેશ્વરનું પદ્માસન હોય છે. જિનભગવાન પદ્માસન (કમળરૂપ આસન) ઉપર બિરાજે છે પણ આ તો ભગવાનનું સ્વરૂપ વર્ણન જ છે અને તેથી જ મનુષ્યોનો એમ કહેવાનો વ્યવહાર પડી ગયો છે. આમાં વસ્તુ સ્થિતિ એવી છે કે ભગવાન જિનેશ્વર સિહાસન ઉપર બેસીને બાજઠ ઉપર પગ મૂકીને હાથમાં યોગમુદ્રા ધારણ ૨૨૨) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy