SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતિઓ જૈન સમાજમાં વધુ લોકપ્રિય છે. તેમ છતાં પ્રશ્નોત્તર ચિંતામણિ ગ્રંથનો આસ્વાદ કરવા માટે ગિરજાશંકર મ. શાસ્ત્રીએ ગુજરાતીમાં અનુવાદ કરીને સ૨ળતા કરી આપી છે. જૈનદર્શનના સિદ્ધાંતોમાં ઉદ્ભવતી શંકાઓનું પ્રશ્નોત્તર દ્વારા શાસ્ત્રીય આધાર દર્શાવીને સમાધાન કરવામાં આવ્યું છે. જૈન શાસ્ત્રના શ્રુતસાગરમાં પ્રવેશદ્વાર સમાન ગહન અને ગંભીર એવા ૨૦૨ પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે. ગ્રંથના આરંભમાં દશાવતારી પ્રગટ પ્રભાવક શ્રી પાર્શ્વનાથ ભગવાન અને સરસ્વતીદેવીની ભક્તિભાવપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે. ત્યારપછી કવિના શબ્દોમાં જ જોઈએ તો જૈનાગમરૂપી મહાસમુદ્રમાંથી પાર ઉતરવા માટે અનેક પ્રશ્નોત્તર ગ્રંથો સુંદર વહાણરૂપ તૈયાર જ છે. છતાં આ નવો પ્રશ્નોત્તર ગ્રંથ કરવો અમારી મૂર્ખતા છે તો પણ તેને જોઈને બુદ્ધિમાન પુરૂષોએ મારી હાંસી કરવી નહીં. શુમેયથાશક્તિયતનીયમ્ એ ન્યાયે પ્રશ્નોત્તર ગ્રંથ રચનાનું શુભ કાર્ય કરવા માટે પુરૂષાર્થ કર્યો છે. પ્રશ્નોત્તરમાં પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એમ બે વિભાગ છે દરેકમાં ૧૦૧ પ્રશ્નોત્તર મળીને ૨૦૨ પ્રશ્નોત્તર છે. પ્રશ્નોત્તર ચિંતામણિના કેટલાક પ્રશ્નો ઉદાહરણરૂપે અત્રે નોંધવામાં આવ્યા છે. પૂર્વાર્ધ પ્રશ્નોત્તર ૪૫૭ પ્રશ્ન કયા પુરૂષો ઈંગિત મરણને (તે નામના અનશનનો) સ્વીકારી શકે છે? અથવા એવા મરણના સંબંધમાં ત્રણ પ્રકારના તથા ચાર પ્રકારના આહાર વિશે શો નિયમ છે ? પ્રવચન સારોદ્ધાર નામના ગ્રંથમાં કહ્યું છે કે ઇંગિત મરણને સ્વીકા૨ના૨ો મનુષ્ય જીવનપર્યંત ત્રણ પ્રકારના તથા ચાર પ્રકારના આહારનો ત્યાગ કરે છે. વળી તે ઇંગિત મરણમાં ચતુર્વિધ આહારનું પ્રત્યાખ્યાન હોય છે તેમજ છેવટમાં છેવટ ઉત્તર Jain Education International 2010_03 ૨૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy