SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનકાળ દરમ્યાન જૈનોમાં ધર્મસંબંધી અવ્યવસ્થા ઉભી થઈ હતી તેને હીરપ્રશ્ન અને સેનપ્રશ્ર દ્વારા વ્યવસ્થિત કરવામાં આવી છે તેનાથી સંકળા સંઘની એકતા સ્થિર થઈ છે. હીર પ્રશ્રની પૂર્તિરૂપે સેન પ્રશ્નગ્રંથ છે. જગતના જીવોનું કલ્યાણ કરનારા જો કોઈ હોય તો જૈનાચાર્યો અને એમનો શિષ્ય પરિવાર છે. ધર્મ બતાવનાર અને અનુસરણ કરનાર સાધુ સંસ્થાએ ચતુર્વિધ સંઘ અને જિનશાસનની પ્રભાવનામાં કેન્દ્રસ્થાને છે. વિજયસેન સૂરીશ્વરજી તપાગચ્છની ૫૮મી પાટે થયા છે. વિવિધ પ્રકારના પ્રશ્નોમાંથી અત્રે નમૂનારૂપે કેટલાક નોંધવામાં આવ્યા છે. ૪૦૬ પ્રશ્ન જ્ઞાનપંચમીના ઉજમણાનું દ્રવ્ય જ્ઞાનદ્રવ્ય કહેવાય કે મંડપમાં પધરાવેલ જિનેશ્વર દેવોની સામે મૂકાયેલ હોવાથી દેવદ્રવ્ય કહેવાય? ઉત્તર ઉજમણાના જ્ઞાનના બધા ઉપકરણો જ્ઞાનદ્રવ્ય છે અને તે જ્ઞાન ભંડારમાં મૂકવા અને બીજા જે હોય તે દેવદ્રવ્ય કહેવાય એમ જણાય છે. (દર્શન અને ચારિત્રના ઉપકરણ સિવાયના) ૪૦૦ પ્રશ્ન પુખરવરદીવ અને સિદ્ધાણં બુદ્ધાણનો કયા આવશ્યકમાં સમાવેશ થાય છે? બંનેનો કાઉસ્સગ્ય આવશ્યકમાં સમાવેશ થાય છે એમ આવશ્યક બૃહદ વૃત્તિના અનુસારે જણાય છે. ૪૦૮ પ્રશ્ન અતિચારની આઠ ગાથા ન આવડેતી હોય તે કાઉસ્સગ્નમાં આઠ નવકાર ગણે છે પરંતુ આઠ ગાથાના અને ચાર નવકારના શ્વાસોશ્વાસ ૩ર થાય અને આઠ નવકારના ૬૪ થાય તેનું કેમ? ઉત્તર જેને આઠ ગાથા ન આવડે તેની પાસે આઠ નવકારનો કાઉસ્સગ્ન કરાવાય છે. તેમાં શ્વાસોશ્વાસનું પ્રમાણ ગણાતું ઉત્તર ( ૨૦૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy