SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦ પ્રશ્ન નારકીના જીવો પૂર્વ ભવના વૃત્તાતને કેવી રીતે જાણે? ઉત્તર દેવ વગેરેના કથનથી જાણી શકે. (પા. ૮૩). ૪૦૧ પ્રશ્ન જે શ્રાવક નિયમથી હંમેશા બે વખત પ્રતિક્રમણ કરતો હોય અને સંધ્યા સમયે પ્રતિક્રમણ વિસરી ગયો હોય તો તે કેટલીક રાત્રિ ગયા પછી પ્રતિક્રમણ કરે તો શુદ્ધ થાય કે નહીં? ઉત્તર યદિ કારણ વિશેષથી ભૂલી ગયો હોય તો બે પહોર રાત્રિ સુધીમાં પ્રતિક્રમણ કરે તો શુદ્ધ રીતે કલ્પી શકે છે. ૪૦૨ પ્રશ્ન જેને શુક્લપંચમી ઉચ્ચારી હોય તે જો પર્યુષણમાં બીજથી આરંભી અઠ્ઠમ તપ કરે તેને પંચમીને દિવસે એકાસણું જ કરવું જોઈએ કે યથારૂચિ? ઉત્તર કોઈપણ વ્યક્તિએ શુક્લ પંચમી ઉચ્ચરી હોય તેમણે વાસ્તવિકતો તૃતીયાથી અઠ્ઠમ તપ કરવો જોઈએ. યદિ કદાચિત દ્વિતીયાથી અઠ્ઠમ તપ કરે તો પંચમીને દિવસે એકાસણું કરવાનો પ્રતિબંધ નથી. યદિ એકાસણું કરે તો વિશેષ લાભદાયક છે. (પા. ૮૬) ૪૦૩ પ્રશ્ન પાંચમનો અથવા પૂર્ણિમાનો ક્ષય હોય તો તે તિથિઓનો તપ કોણ કોણ દિવસે કરવો જોઈએ? ઉત્તર પાંચમનો જો ક્ષય હોય તો તેનો તપ પાછલી તિથિમાં અને પૂનમનો ક્ષય હોય તો તેનો તપ તેરસને દિવસે અથવા તો ચૌદશે કરવો જોઈએ. જો ત્રયોદશીને દિવસે કરવો ભૂલી જાય તો (પ્રતિપ્રદા) એકમને દિવસે પણ કરવો. (પા. ૯૨) ૪૦૪ પ્રશ્ર પોસહમાં સામાયિકના બત્રીશ દોષ લાગે છે કે નહીં? ઉત્તર પોસહમાં સામાયિકના બત્રીશ દોષ લાગે છે તથા પ્રકારે જાયું છે પણ તેને ઉત્સર્ગથી જ લગાડવા. કોઈપણ કારણથી ૨૦૭ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy