SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ધારણામાં સમાવેશ પામે છે, હાલ કોઈકને હોઈ શકે છે. ૩૬૭ પ્રશ્ન સમકિત મોહનીય હેય કે ઉપાદેય? ઉત્તર હેય જ છે. સમકિત મોહનીયમાં મિથ્યાત્વનો રસ મંદતમ થયેલ હોવાથી સમ્યકત્વને રોકી શકતી નથી. પરંતુ સમ્યકત્વમાં શંકા કાંક્ષા, વિચિકિત્સા આદિ અતિચારો લાવવારૂપ કાંકરા તો નાંખે જ છે. સમ્યકત્વ આપવું તે તેનું કાર્ય નથી પરંતુ સમ્યકત્વને કલુષિત કરવું તે તેનું કાર્ય છે. માટે હેય જ છે. ૩૬૮ પ્રશ્ન પિંડ પ્રકૃતિ અને પ્રત્યેક પ્રકૃતિ તેનો અર્થ શો? ઉત્તર જેના ભેદો હોઈ શકે તે પિંડ પ્રકૃતિ અને જેના ઉત્તરભેદો ન હોઈ શકે તે પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. પિંડ પ્રકૃતિના ગતિજાતિ-શરીર વગેરે ૧૪ ભેદો છે. પ્રત્યેક પ્રકૃતિના ૮+૧૦+૧૦ = કુલ ૨૮ ભેદો છે. ૩૬૯પ્રશ્ન કર્મતત્વને જૈનદર્શનકાર જ સમજાવે છે કે અન્ય દર્શનકારો પણ આ તત્વ સમજાવે છે? અન્ય દર્શનકારો પણ કર્મતત્વને શબ્દાત્તરથી સ્વીકારે જ છે અને જગતને સમજાવે પણ છે જે તે પ્રમાણે. ન્યાય અને વૈશેષિક દર્શનકારો કર્મને બદલે ધર્મ અધર્મતત્વ માને છે વિહિત કર્મજન્યો ધર્મ:' નિષિદ્ધ કર્મજન્યોડ ધર્મઃ - આ ધર્મ અધર્મને જ ભાગ્ય-અદષ્ટ અને કર્મ કહેવાય છે. ઉત્તર ૧૯૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy