SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ પ્રશ્ન ઉત્તર ૩૬૩ પ્રશ્ન ઉત્તર ૩૬૪ પ્રશ્ન ઉત્તર ૩૬૫ પ્રશ્ન ઉત્તર ૩૬૬ પ્રશ્ન ઉત્તર તે ઘણું અલ્પ જ હોય છે. આયુષ્ય કર્મ ક્યારે બાંધે છે ? એવો કોઈ નિયમ છે ? હા, મનુષ્ય-તિર્યંચના ભવોમાં પોતાના ભવના બીજા ભાગમાં બાંધે છે અને દેવ અને નારકીના ભવોમાં પોતાના ભવના છ માસ બાકી રહે ત્યારેજ આયુષ્ય બાંધે છે. આ આઠ કર્મોમાં ઘાતી કર્મ અને અઘાતીકર્મ કેટલાં અને કયા કયા? જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય આ ચાર કર્યો ઘાતી કર્મો છે. બાકીનાં ચાર વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્રકર્મ અઘાતીકર્મો છે. ઘાતી અને અઘાતી એટલે શું? આત્માના જ્ઞાન - દર્શન, ચારિત્ર - વીર્ય ગુણને ઢાંકે છે તે ઘાતી કર્મ છે. અને સંસારની ભોગ સામગ્રી દુ:ખ સુખ આપનારાં કર્મો તે અઘાતી કર્મો છે. શ્રુતજ્ઞાન એટલે શું? ભણાવનાર ગુરૂજી દ્વારા અથવા શાસ્ત્રો દ્વારા સમજીને જે વાચ્ય-વાચક ભાવવાળો તત્ત્વબોધ થાય તે શ્રુતજ્ઞાન છે. તેના ૧૪ અથવા ૨૦ ભેદો છે આ માહિતી કર્મગ્રંથની ગાથા ૬/ ૭માં છે. જાતિસ્મરણ જ્ઞાન થાય છે તે શું છે ? આ પાંચ જ્ઞાનમાંથી કોનામાં સમાવેશ થાય ? પૂર્વભવનું પોતાનું અનુભવેલું યાદ આવે, સ્મરણમાં આવે તે જાતિ સ્મરણ છે. આ જ્ઞાન મતિજ્ઞાનમાં અંતર્ગત થાય છે. Jain Education International 2010_03 ૧૯૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy