SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ રાખવો તે પ્રશસ્ત ભાવ પુણ્યબંધનું કારણ કહેવાય છે. ૩૦૩ પ્રશ્ર અપ્રશસ્ત ભાવ કોને કહેવાય? ઉત્તર સ્ત્રી, ધન, કુટુંબઈત્યાદિ સંસારના પદાર્થો પ્રત્યે રાગ રાખવો તે અપ્રશસ્ત ભાવ પાપબંધનું કારણ કહેવાય. ૩૦૪ પ્રશ્ન મોક્ષનું કારણ બનાવવા શું ક્રમ રહેલ છે? ઉત્તર પ્રથમ પ્રશસ્ત રાગથી અપ્રશસ્ત રાગનો નાશ કરવો અને ત્યારબાદ ધીરે ધીરે સ્વાભાવિક રીતે જ પ્રશસ્ત રાગ ઓછો થવા માંડશે તે મોક્ષના કારણનો ક્રમ છે. ૩૦૫ પ્રશ્ન આશ્રવ કોને કહેવાય? ઉત્તર પૂર્વે કહેલા શુભકર્મનું તથા અશુભકર્મનું જેના વડે આત્મામાં આવવું થાય તે આશ્રવ કહેવાય છે. ૩૦૬ પ્રશ્ન સમિતિ કોને કહેવાય? ઉત્તર સમ= સમ્યક્ ઉપયોગપૂર્વક ઈતિ = પ્રવૃત્તિ કરવી તે સમિતિ કહેવાય છે. ૩૦૭ પ્રશ્ન ગુપ્તિ કોને કહેવાય? ઉત્તર મન-વચન-કાયાનો અશુભ વ્યાપાર તેને રોકવાનો જે પ્રયત્ન કરવો તેને ગુપ્તિ કહેવાય છે. ૩૦૮ પ્રશ્ન પરિષહ કોને કહેવાય? ઉત્તર પરિ-સમજ્જાત-સર્વબાજુથી અથવા સર્વ પ્રકારે સહ = કષ્ટ સહન કરવું પણ સદોષ આચરણ ન કરવું તે પરિષહ કહેવાય ૩૦૯ પ્રશ્ન ભાવના કોને કહેવાય? ઉત્તર મોક્ષ માર્ગ તરફ રૂચિ વધે તેવું ચિતવન કરવું તે ભાવના ૧૮૫ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy