SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ પ્રશ્ન ઉત્તર ૨૫૬ પ્રશ્ન ઉત્તર ઉદીકરણા કરવીએ ચારિત્ર મોહનીય કર્મ બાંધવાના સામાન્ય આશ્રવો રહેલા છે. નરકાયુષ્ય બાંધવાના આશ્રવો કયા કયા છે ? પંચેન્દ્રિય પ્રાણીઓનો વધ કરવો, મહારંભ તથા મહાપરિગ્રહ ક૨વામાં તત્પરતા રાખવી, માંસ-ભોજન સદા સ્થિર વૈરબુદ્ધિ રાખવી, રૌદ્ર ધ્યાન રાખવું, અનંતાનુબંધી કષાય રાખવા, કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યાના ધ્યાનમાં રહેવું, અસત્યભાષણ પરદ્રવ્યનું હરણ કરવું, વારંવાર મૈથુનનું સેવન ક૨વું અને ઈન્દ્રિયોને સંયમમાં ન રાખવી વગેરે નરકાયુષ્ય બાંધવાનાં કારણો કહેલાં છે. અંતરાય કર્મ બાંધવાના આશ્રવો કયા કયા કહેલા છે? જિનપૂજા કરવામાં અંતરાય કરનાર સાવદ્યદોષથી યુક્ત હોય છે માટે પૂજા કરવી એ અવિધિ છે એમ કુદેશનાથી જીવોને ભગવાનના તત્વોથી દૂર કરી નિષેધ કરનાર હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ પરિગ્રહ રાત્રિભોજન વગેરે પાપોમાં તત્પર હોય, ઉપલક્ષથી મોક્ષમાર્ગને દૂષિત ક૨ના૨ જ્ઞાન-દર્શનચારિત્રમાં જીવોને અંતરાય કરનાર અથવા સાધુઓને ભોજન પાણી ઉપાશ્રય, ઉપકરણ, ઔષધ વગેરે આપનારને રોકે, મંત્રાદિ પ્રયોગ વડે બીજાના વીર્યનું હરણ કરે, હઠયોગથી વધબંધન વગેરેથી ચેષ્ટા વિનાનો કરે છેદન ભેદન વડે કરીને બીજાની ઈન્દ્રિયની શક્તિઓનો છેદ કરે ઈત્યાદિ કારણો વડે કરીને જીવો પાંચેય પ્રકારનાં અંતરાય કર્મોને ઉપાર્જન કરે છે. Jain Education International 2010_03 ૧૭૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy