SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ પ્રશ્ન ઉત્તર ૨૫૧ પ્રશ્ન ઉત્તર જ્ઞાનાવરણીય કર્મ કેવી રીતે જીવ બાંધે છે ? જ્ઞાના-મતિ જ્ઞાનાદિની તથા જ્ઞાની એવા સાધુભગવંતોની અને જ્ઞાનના સાધન જે પુસ્તક લેખન વગેરે પ્રત્યે ખરાબ આચરણ ક૨વાથી નિન્તવપણું કરવાથી એટલે કે જેની પાસે અભ્યાસ કરેલ હોય તેનું નામ ઓળખવવું (છુપાવવું) અને બીજા પાસે ભણ્યો છું એમ કહેવાથી જ્ઞાન અને જ્ઞાનીને મૂળથી નાશ કરવાથી જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે અપ્રીતિ કરવાથી જ્ઞાન ભણવા અને ભણાવવામાં અંતરાય કરવાથી તથા અત્યંત જ્ઞાન અને જ્ઞાનીની આશાતના કરવાથી જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે. આજે તો આ જ્ઞાનની આશાતના ખૂબ થઈ રહેલી છે. જ્ઞાનના સાધનોમાં ખાવાનું લાવવું, તે લઈને સંડાસ-પેશાબે જવું, તેના ઉપર સંડાશ વગેરે કરવાં, તેના ૫૨ બેસવું, માથા નીચે જ્ઞાન મૂકીને સુઈ જવું અને એ જ્ઞાનના સાધનને અક્ષરવાળા પુસ્તકો તથા કાગળોને ગમે ત્યાં રખડતાં મૂકવા વગેરે પણ જ્ઞાનની આશાતના છે. તેનાથી પણ જીવો જ્ઞાનાવરણીય કર્મ ઉપાર્જન કરે છે. શાતા વેદનીય કર્મ જીવો કયા કારણથી બાંધે છે ? દેવપૂજા તથા ગુરૂની સારી રીતે ભક્તિ કરવાથી ગુરૂના માતાપિતા ધર્માચાર્ય તથા સંસારમાં પોતાની જે વડીલ હોય તે બધા ગુરૂ તરીકે જાણવાં. ક્ષમાને ધારણ કરવાથી એટલે ક્રોધકષાયને કાબુમાં રાખવાથી, દયાથી યુક્તચિત્ત રાખવાથી એટલે કે પોતાના આત્માની તથા જગતના તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવાથી વ્રત વગેરે ગ્રહણ કરવાથી વ્રતથી પાંચ મહાવ્રત તથા પાંચ અણુવ્રત તથા કોઈપણ નાનામાં નાના નિયમોનું સારી રીતે પાલન કરવાથી મન, વચન અને Jain Education International 2010_03 ૧૭૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy