SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬પ્રશ્ન ઉત્તર ૨૪૭ પ્રશ્ન ઉત્તર ૨૪૮ પ્રશ્ન ઉત્તર ૨૪૯ પ્રશ્ન ઉત્તર હણાયા કરે તે ઉપઘાત નામકર્મ કહેવાય છે. પર્યાપ્તિ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? પર્યાપ્તિ એટલે જીવન જીવવા માટે પુદ્ગલોને ગ્રહણ કરી તે પુદ્ગલોને પરિણમન કરવાની જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ કહેવાય છે. તે છ પ્રકારની છે. (૧) આહાર પર્યાપ્તિ, (૨) શરીર પર્યાપ્તિ, (૩) ઈન્દ્રિય પર્યાપ્તિ, (૪) શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, (૫) ભાષા પર્યાપ્તિ, (૬) મન પર્યાપ્તિ. ગોત્રકર્મ કોના જેવું કહેલું છે ? ગોત્રકર્મ કુંભાર સરખું કહેલું છે. જેમ કુંભાર પૂર્ણકળશ બનાવે છે જે પુષ્પ-ચંદન-અક્ષત વગેરેની પૂજા પામે છે. તેમ ખરાબ ઘડા પણ કુંભાર બનાવે છે તે મદિરાના વગેરેના ઘડા બનાવે છે તેનાથી લોકોમાં નિંદા પ્રાપ્ત થાય છે. તેની જેમ ગોગકર્મ કહેલું છે. અંતરાય કર્મ કોને કહેવાય ? તે કેટલા પ્રકારે છે ? વિશેષ કરીને જે દાન લાભાદિ હણાય છે અર્થાત્ જેના વડે નાશ પામે તે અંતરાય કહેવાય છે. તે પાંચ પ્રકારે છે. (૧) દાનાન્તરાય, (૨) લાભાન્તરાય, (૩) ભોગન્તરાય, (૪) ઉપભોગત્તરાય, (૫) વીર્યાન્તરાયકર્મ. અંતરાય કર્મ કોના જેવું કહેલું છે ? રાજાના ભંડારી સરખું અંતરાય કર્મ કહેલું છે. જેમ રાજાને યાચકને દાન આપવાનું મન થાય તે ભંડારીને કહે પણ ભંડારી જો પ્રતિકૂળ હોય તો યાચકને રાજા પણ દાન દઈ શકતો નથી. તેમ અંતરાય કર્મના ઉદયથી જીવો દાનાદિ વગેરે કરી શકતા નથી માટે ભંડારી સરખું જણાવેલ છે. Jain Education International 2010_03 ૧૭૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy