SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬પ્રશ્ન સઘળાં કર્મો ઉદયમાં આવે છે છતાં પણ આયુષ્ય માટે વિશેષ શા માટે જણાવેલ છે? ઉત્તર બાકીના કર્મો (એટલે આયુષ્ય સિવાયના) બંધાયા પછી આ ભવમાં પણ ઉદયમાં આવે છે. કેટલાંક પ્રદેશોદયથી પણ ભોગવાય છે તથા કેટલાક કર્મો જન્માંતરમાં પોતાના વિપાકથી ઉદયમાં આવતા પણ નથી. જ્યારે આયુષ્ય કર્મમાં એમ બનતું નથી જે ભવમાં બંધાય છે તે ભવમાં ઉદયમાં આવતું નથી. બીજા ભવમાં જતાં પોતાના વિપાકથી અવશ્ય ઉદયમાં આવે છે. આવા પ્રકારનો વિશિષ્ટ ઉદય હોવાથી આયુષ્યકર્મની એ રીત વિવક્ષા કરી છે. ૨૧૭ પ્રશ્ન આ પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન કેટલા હોય છે? કયા કયા? ઉત્તર આ પાંચ જ્ઞાનમાં પ્રત્યક્ષ જ્ઞાન ત્રણ હોય છે. (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યવજ્ઞાન, (૩) કેવલજ્ઞાન ૨૧૮ પ્રશ્ર પરોક્ષ જ્ઞાન કોને કહેવાય? ઉત્તર જે જ્ઞાન નિમિત્ત (સહાય)થી ઉત્પન્ન થાય. ઈન્દ્રિયોથી તથા મનની સહાયથી જે પ્રગટ થાય તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. ૨૧૯ પ્રશ્ન કેવલજ્ઞાન માટે સર્વોત્તમ અપ્રમતતિ તથા સર્વાન્ત એ ત્રણ કઈ રીતે કહેલા છે તે જણાવો? ઉત્તર જેમ સઘળાંય જાતિજ્ઞાનાદિજ્ઞાનો પેદા થાય ત્યારે દેશથી જણાય છે. જ્યારે કેવલજ્ઞાન સકલ વસ્તુઓનું જ્ઞાન કરાવનાર હોવાથી સર્વોત્તમ છે અને સર્વોત્તમ હોવાથી બધા જ્ઞાનનો શિખરૂપ જણાવેલ છે. મન:પર્યવ જ્ઞાન જેમ અપ્રમતતિને જ ઉત્પન્ન થાય છે. તેમ કેવળજ્ઞાન પણ અપ્રમતતિને જ પેદા થાય છે. જે સઘળા જ્ઞાનોને પેદા કરવાને યોગ્ય હોય તે ૧૬૮ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy