SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વારા કરાવે તથા અનુમોદે. ૧૭૩ પ્રશ્ર શ્રાવકનાં બારવ્રતોમાંથી શ્રી જિનમૂર્તિનીદ્રવ્યપૂજા કયા વ્રતમાં છે? ઉત્તર જે વગર સર્વ વ્રતો નિષ્ફળ છે એવું સમસ્ત શુભ ક્રિયાનું મૂળ જ સમ્યકત્વ, તેની કરણીમાં શ્રાવકને ગૃહસ્થાવાસમાં રહેવા છતાં શ્રી જિનમૂર્તિની દ્રવ્ય ભાવપૂજા કરવી ઉચિત છે. દેવ તે શ્રી અરિંહત દેવ છે. ગુરૂ તે શ્રી જૈનધર્મના શુદ્ધ ગુરૂ અને ધર્મ તે કેવળી પ્રણિત સત્ય ધર્મ એ ત્રણ વસ્તુઓ ચાર નિક્ષેપ સર્વને વંદનિક અને પૂજનિક છે અને જે માને તે સમ્યક્દષ્ટિ અને ન માને તે મિથ્યાષ્ટિ છે. એ રીતે શ્રી જિનપૂજા સમ્યકત્વની કરણી છે સમ્યકત્વ એ સઘળાં વ્રતોનું મૂળ છે, સમ્યકત્વ વિના તમામ કરણી અફળ છે. ૪. જીવ વિચાર પ્રશ્નોત્તરી ૧૭૪ પ્રશ્ન ત્રણ ભુવનો ક્યા કયા છે? ઉત્તર ચૌદ રાજલોક રૂપ જગતમાં (૧) ઉદ્ગલોક રૂપ ભુવન, (૨) તિર્થાલોક રૂપ ભુવન, (૩) અધોલોક રૂપ ભુવન કહેલા છે. ૧૭૫ પ્રશ્ન જીવ કોને કહેવાય? ઉત્તર જે પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય છે. ૧૭૬ પ્રશ્ન જીવો કેટલા પ્રકારના છે? કયા કયા? ઉત્તર જગતના જીવો બે પ્રકારના છે. (૧) મુક્તિના જીવો અને (૨) સંસારી જીવો. ૧૭૭ પ્રશ્ન મુક્તિના જીવો કોને કહેવાય છે? ઉત્તર જે જીવો આઠ પ્રકારના કર્મોથી રહિત થયેલા હોય છે અથવા (૧૫૭) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy