SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય કવિ પંડિત વીરવિજયજીએ પ્રશ્નચિંતામણિ ગ્રંથની રચના કરી હતી તેનો પ્રાથમિક અભ્યાસ પીએચ.ડીની થીસીસ લખતી વખતે કર્યો હતો. ત્યારપછી આ અંગે વધુ સંશોધન કરતાં વિપુલ પ્રમાણમાં પ્રશ્નોત્તર ગ્રંથોની વૈવિધ્યપૂર્ણ સામગ્રી ઉપલબ્ધ થઈ. આ ગ્રંથોમાંના પ્રશ્નોત્તરો સર્વસાધારણ વર્ગને ઉપયોગી થાય, તત્ત્વ વિષયક શંકાનું સમાધાન થાય, પ્રશ્નોત્તરના સ્વાધ્યાય દ્વારા આત્મોન્નતિકા૨ક જિનવાણીનો પરિચય થાય. ધર્મ, શ્રદ્ધા વધે. સમકિતની શુદ્ધિને વૃદ્ધિ થાય તેમજ આ સર્વ પ્રયોજનોની સાથે આત્માનો જ્ઞાનગુણ વિકાસ પામીને જ્ઞાનરમણતા પ્રાપ્ત ક૨વાની અણમોલ ઘડી મળી છે તેનો મનુષ્ય જન્મમાં સદુપયોગ થાય એવા બૃહદ્ હેતુથી પ્રશ્નોત્ત૨ ગ્રંથોનું સંકલન કરીને પુસ્તકરૂપે જનતાને ચરણે ભેટ ધર્યું છે. પ્રશ્નોત્તર ગ્રંથોની વિવિધતાની સાથે વિષયોની પણ એટલી જ વિવિધતા નિહાળી શકાય છે. જૈન દર્શનના મૂળભુત બધાં જ વિચારોને સ્પર્શતા પ્રશ્નોનો આ સંકલનમાં સમાવેશ થયો છે. દરેક ગ્રંથના બધાં જ પ્રશ્નો કોઈને કોઈ રીતે જ્ઞાન અને ભક્તિમાર્ગની સાથે આચાર પ્રધાન ધર્મની પ્રરૂપણા કરે છે. અહીં વિવિધ ગ્રંથોનો પરિચય કરાવવાનો હોવાથી કેટલાંક નમૂનેદાર પ્રશ્નોની જે તે ગ્રંથ પ્રમાણે નોંધ આપવામાં આવી છે. પ્રશ્નોત્તર સાહિત્યની કેટલીક રસપ્રદ વિગતો નીચે પ્રમાણે છે. પ્રશ્નોત્તર સાહિત્ય : ઐતિહાસિક દિગ્દર્શન વિશ્વના સાહિત્ય તરફ અવલોકન કરતાં તેમાં વસ્તુ અને શૈલીની રીતે વિવિધતા રહેલી છે. જૈન ધર્મના સાહિત્યમાં ગદ્ય પ્રકારની કેટલીક કૃતિઓ પ્રશ્નોત્તર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પ્રશ્નોત્તરશૈલી એ કોઈ નવી વાત નથી. પ્રાચીનકાળ અને આગમ રચનાના સમયમાં તેનો ઉલ્લેખ મળી આવે છે. ‘વિવાહપણ્યતિ' જેવો જૈન આગમમાં પ્રશ્નોત્તર શૈલીનો પ્રયોગ થયો છે. તેમાં મુખ્ય પ્રશ્નકાર ગણધર ઈન્દ્રભૂતિ છે. ગૌણ પ્રશ્નકાર Jain Education International 2010_03 ૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy