SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અગ્નિભૂતિ, જયંતી શ્રાવિકા અને કેટલાક અજૈનો પણ છે. ઉત્તર આપનાર શ્રમણ ભગવાન મહાવીર છે. અહિંસા સંયમ અને પરૂપી ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલકારી છે. તેની સાધનાથી આત્મા મુક્તિનું શાશ્વત સુખ મેળવે છે. તપના બે પ્રકાર બાહ્ય અને અત્યંતર છે બંનેના ૬૬ એમ બાર ભેદ છે. અભ્યતરતા આત્માના ગુણોના વિકાસમાં મહત્ત્વની કામગીરી કરે છે. બાહ્ય તપ શરીર અને મનની શુદ્ધિ કરે છે જ્યારે અત્યંતર આત્મશુદ્ધિનું અમોઘ શસ્ત્ર છે. અભ્યતર તપમાં વીયTI, પુના, વૈવ તવ પરિચUI પેદા ધમ્મgી સખ્તાનો સ્વાધ્યાય અત્યંતર તપ છે તેના પાંચ પ્રકાર - વાંચના - પાઠ લેવો, પૃચ્છના એટલે પૂછપરછ કરવી. શંકા નિવારણ, પરિવર્તના એટલે આવૃત્તિ કરીયાદ કરવું, અનુપ્રેક્ષા - ચિંતન કરવું. ધર્મકથા એટલે ધર્મ વિષયક વાતો કરવી. આ રીતે પાંચ પ્રકારના સ્વાધ્યાય છે. તેમાં પૃચ્છના પ્રકારનો સ્વાધ્યાય એ જૈન પ્રશ્નોત્તર સાહિત્ય છે જ્ઞાન પ્રાપ્તિમાં પૃચ્છનાનું પણ મહત્ત્વ સર્વ સ્વીકૃત છે. આવૃત્તિ કરતાં આગમોના અર્થ ચિંતવનમાં ભૂલ જેવું દેખાય તો તેમના જ્ઞાતાઓને ફરી ફરી પૂછવું જેથી અર્થની સંગતી બની રહેવા પામે. તે દૃષ્ટિએ પ્રશ્નોત્તર પદ્ધતિ આવશ્યક ગણાય છે. અત્યંતર તપના ક્રમમાં વાંચના પછી પૃચ્છના આવે છે એટલે સૌ પ્રથમ વાચના-પાઠને ગુરૂ પાસેથી ગ્રહણ કર્યા પછી જ શંકા-કે પ્રશ્ન ઉદ્ભવે તેના માટે પૃચ્છના છે તે દૃષ્ટિએ પૃચ્છનાનું મહત્ત્વ સ્વીકાર્યા વગર ચાલે તેમ નથી. પ્રશ્નોત્તર સાહિત્યનો અભ્યાસ કરતાં એક ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે કે “ભગવતી સૂત્ર” એ આ શૈલીનો પ્રાચીન ગ્રંથ છે. તદુપરાંત અન્ય આગમોમાં પણ આ શૈલીનું દર્શન થાય છે. આચારાંગ, રાયપણેણી, ( ૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy