SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર આયુષ્યના બે પ્રકાર છે. અપવર્તનીય અને અનપવર્તનીય. અપવર્તનીય - જે આયુષ્ય બંધના સમયની સ્થિતિપૂર્ણ થયા પહેલાં જ શીધ્ર ભોગવી શકાય છે તે અપવર્તનીય આયુષ્ય છે. અનપવર્તનીય – જે આયુષ્ય બંધકાળની સ્થિતિ પૂર્ણ થયા પહેલાં સમાપ્ત થતું નથી. ૩. પ્રતિમા પૂજન પ્રતિમાપૂજનનો વિષય જૈન પરિવા૨માં એક આચારધર્મ તરીકે પરંપરાથી ચાલુ છે. પ્રતિમાપૂજન - વંદન વિશે આજના બુદ્ધિજીવી વર્ગને અનેક પ્રશ્નો ઉદ્ભવે તેમ છે. જૈન શાસનમાં પ્રતિમાપૂજન અંગે શાસ્ત્રીય ઉલ્લેખો ઉપલબ્ધ થાય છે. અરિહંતની પ્રતિમાને વંદન-પૂજનાદિ ક૨વાથી સમ્યકદર્શનાદિ આત્મગુણોની પ્રાપ્તિ અને કર્મક્ષયની સિદ્ધિ થાય છે. આ હરિભદ્રસૂરીશ્વરજી, જિનભદ્રગણિક્ષમાશ્રમણજી, દશપૂર્વધર ભગવાનશ્રી ઉમાસ્વાતિજી ચૌદ પૂર્વધર શ્રુતકેવલિ ભગવાનશ્રી ભદ્રબાહુસ્વામીજી અને અન્ય પૂર્વ સૂરિપુંગવોએ પ્રતિમાપૂજન વિશે શાસ્ત્રોક્ત વિચારો દર્શાવ્યા છે. મહાભાષ્યપૂજા પ્રકરણ, આવશ્યક નિર્યુક્તિમાં તેનો ઉલ્લેખ મળે છે. પ્રતિમાપૂજન જેવા સર્વોચ્ચ આત્મકલ્યાણકર આચાર સામે કટાક્ષ ધારણ કરનાર વર્ગના બે વિભાગ છે. એક પ્રાચીન વિચારસરણી અને બીજા અર્વાચીન વિચારસરણી. અર્વાચીન વિચારસરણીવાળો વર્ગ પ્રતિમાપૂજનમાં બુદ્ધિની જડતા અને અંધ અનુસરણ મનાવવા માંગે છે. પ્રાચીનવર્ગવાળા પ્રતિમાપૂજનમાં હિંસા અને અધર્મ માને છે. બંને વિચાર સરણીઓ અજ્ઞાનતા મૂલક છે. વાસ્તવિકતા તો એ છે કે પ્રતિમાપૂજનથી બુદ્ધિની જડતા દૂર થતાં નિર્મળતા પ્રગટે છે તેમાં હિંસા નહીં પણ અહિંસા અને અધર્મ નહીં પણ ધર્મનું પાલન થાય છે. Jain Education International 2010_03 ૧૪૮ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy