SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિમાપૂજન ગ્રંથમાં ઉપરોક્ત વિચારસરણીના સંદર્ભમાં કુલ ૬૮ પ્રશ્રો દ્વારા શાસ્ત્રીય આધાર આપીને તેનો વિરોધ કરીને પૂજનવંદનાદિનું સમર્થન કરવામાં આવ્યું છે. આ પ્રશ્નોત્તર જિનપ્રતિમા અંગેની શંકાનું નિવારણ કરીને ભવ્યાત્માઓના કલ્યાણ માટે પ્રગટ કરવામાં આવ્યા છે. વર્તમાનમાં ધર્મની બાબતમાં ઉંડો વિચાર કરનારા થોડા આત્માઓ છે ત્યારે આ પ્રશ્નોત્તર સર્વ સાધારણ જનતાને માર્ગદર્શક બનીને પ્રતિમાપૂજનમાં શ્રદ્ધા દઢ કરી સમકિત પ્રાપ્તિમાં નિમિત્તરૂપ થાય તેમ છે. પ્રતિમા પૂજનના પ્રશ્નો સૌ પ્રથમ મૂર્તિમંડન નામથી પુસ્તકરૂપે પ્રગટ થયા હતા ત્યારપછી પુનઃ પ્રતિમાપૂજન નામથી પ્રગટ કરેલ છે. પ્રતિમાપૂજન અંગેના કેટલાક પ્રશ્નો ઉદાહરણરૂપે નીચે પ્રમાણે છે. ૧૬૧ પ્રશ્ર સિદ્ધાયતન શબ્દનો અર્થ શો? ઉત્તર સિદ્ધાયતન એ ગુણ નિષ્પન્ન નામ છે. તેનો અર્થ જિનમંદિર થાય છે. સિદ્ધ એટલે સિદ્ધ ભગવાનની પ્રતિમા અને આયતન એટલે ઘર અથવા જિનઘર - જિનમંદિર એ સિદ્ધાયતનનો અર્થ છે. વૈતાઢ્ય પર્વત, ચુલ્લ હિમવંત પર્વત મેરૂપર્વત શ્રી માનુષોત્તર પર્વત, શ્રી નંદીશ્વર દ્વીપ, શ્રી રૂચક દ્વીપ વગેરે પર્વતો તથા દ્વીપો ઉપર સંખ્યાબંધ જિનમૂર્તિઓવાળા સિદ્ધાયતનો વિદ્યમાન હોવાનું શ્રી જીવાભિગમ તથા શ્રી ભગવતી વગેરે સૂત્રોમાં સ્પષ્ટ ફરમાવેલું છે. જે સૂત્રોને તમામ જેને માન્ય રાખે છે. ૧૬૨ પ્રશ્ન વસ્તુની અનુપસ્થિતિમાં તેનું યથાર્થ સ્વરૂપ જાણવાનો ઉપાય તેનું નામ કે આકાર? ઉત્તર પ્રત્યેક અનુપસ્થિતિ વસ્તુનું યથાર્થ સ્વરૂપ કેવળ તેના નામ ૧૪૯ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy