SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ જ ભોગવાઈ જાય છે. ઉપ૨ોક્ત પ્રશ્નો તત્ત્વાર્થ સૂત્રને અનુલક્ષીને રચાયા છે. તેનાથી સૂત્રનો અભ્યાસ વધુ સરળ બને છે. ઉદાહરણરૂપ પ્રશ્નોનું સ્વરૂપ અને ઉત્તર જ્ઞાન પ્રાપ્તિ માટેનો માર્ગ મોકળો કરી આપે છે. તત્ત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા જૈન દર્શનના વિચારોનો અભ્યાસ કરવા માટે પ્રશ્નોત્તર મૂળ સૂત્ર ભાષાંતર વિશેષ સમજૂતી વગેરેના સમન્વયથી દીપક સમાન તત્ત્વબોધ પામવાનું અમૂલ્ય સાધન છે. સામાન્ય વ્યવહારમાં પણ શંકા થતી હોય અને સમાધાન માટે પ્રયત્નો થાય ત્યારે તત્ત્વદર્શનના વિચારોમાં તો અનેક પ્રકારની શંકા ઉદ્ભવે તેવી પૂરી શક્યતા છે. આ ગ્રંથ દ્વારા તેનું સમાધાન થાય છે અને પરિણામ સ્વરૂપ તત્ત્વ વિચાર ગ્રહણ શક્તિ સુલભ બને છે. આ પ્રશ્નોત્તર વ્યાખ્યાત્મક શૈલીની સાથે વિશ્લેષણાત્મક હોઈ તત્ત્વાર્થ સૂત્રના વિચારો વિશેષ વિસ્તારથી આત્મસાત્ થઈ શકે છે. લોકવ્યવહારમાં પ્રચલિત કેટલાક પારિભાષિક શબ્દોની વ્યાખ્યા એક જૈન તરીકે જાણવી જરૂરી છે. જે અહીંથી જાણી શકાય છે. અન્ય પ્રશ્નોત્તર ગ્રંથોમાં વિવિધ વિષયના પ્રશ્નો છે. જ્યારે આ ગ્રંથનો વિષય તત્ત્વાર્થ સૂત્ર છે. તેમ છતાં સર્વસાધારણ જનતાને તેમાંથી જૈન ધર્મની કેટલીક મહત્ત્વની વિગતો અને પારિભાષિક શબ્દોની યોગ્ય માહિતી ઉપલબ્ધ થાય છે. મૂળ ગ્રંથનો અભ્યાસ નહિં કરનારાઓને માટે પ્રશ્નો દ્વારા જ્ઞાન પ્રાપ્તિ અને પરંપરાગત શૈલીથી અભ્યાસ કર્યો હોય તેને માટે અત્યંતરતપના એક પ્રકારરૂપ પૃચ્છા દ્વારા પ્રાપ્ત કરેલ જ્ઞાન શંકારહિત બને છે. સામાન્ય રીતે પ્રશ્નોત્તર સાહિત્યમાં જૈન ધર્મને સ્પર્શતા વિવિધ પ્રશ્નોત્તરોનો સમાવેશ થાય છે. તેમ છતાં કેટલાક પ્રશ્નોત્તર ગ્રંથો ચોક્કસ વિષયને કેન્દ્રમાં રાખીને રચાયા છે તેના ઉદાહરણરૂપે તત્ત્વાર્થ પ્રશ્નોત્તર Jain Education International 2010_03 ૧૪૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy