SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ પ્રશ્ન ઉત્તર ૧૫૧ પ્રશ્ન ઉત્તર ‘નય’ વસ્તુના એક અંશનો નોંધ કરે છે અને ‘પ્રમાણ’ અનેક અંશોનો કરે છે. વસ્તુના અનેક ધર્મો હોય છે. એમાંથી જ્યારે કોઈ ધર્મ દ્વારા વસ્તુનો નિશ્ચય કરવામાં આવે ત્યારે તે પ્રમાણ કહેવાય છે. જેમ કે નિત્યત્વ, અનિત્યત્વ આદિ ધર્મો દ્વારા આત્મા અથવા પ્રદીપ આદિ વસ્તુઓ નિત્યાનિત્ય આદિ અનેકરૂપ છે. એવો નિશ્ચય અથવા બીજા શબ્દોમાં કહીએ તો નય એ અનેક નયોનો સમૂહ છે કેમ કે નય વસ્તુને એક દૃષ્ટિએ ગ્રહણ કરે છે. પ્રમાણ એ અનેક નયોનો સમૂહ છે. પુદ્ગલ પરાવર્તન એટલે શું? જીવ પુદ્ગલોને ગ્રહણ કરી શરીર ભાષા, મન અને શ્વાસોશ્વાસ પરિણમાવે છે. જ્યારે કોઈ એક જીવ આહા૨ક શરીર સિવાય બીજા શરીરો રૂપ તથા ભાષા શ્વાસોશ્વાસ રૂપે પરિણમાવી મૂકી દે અને એમાં જેટલા કાળ લાગે તે પુદ્ગલના પરાવર્તન સમજવું જોઈએ. આધ્યાત્મિક દૃષ્ટિ એટલે શું? સમ્યક્દષ્ટિવાળો આત્મા રાગ દ્વેષની તીવ્રતાના હોવાથી અને આત્મજ્ઞાન હોવાથી પોતાના થોડાક પણ લૌકિકજ્ઞાનનો ઉપયોગ આત્માની તૃપ્તિમાં કરે છે એથી એના જ્ઞાનને જ્ઞાન કહે છે. આનું નામ આધ્યાત્મિક દૃષ્ટિ છે અને તે મોક્ષાભિમુખ આત્મા કહેવાય છે. તીવ્ર પરિણામથી ગાઢ બંધવાળું આયુષ્ય શસ્ત્ર વિષ આદિના પ્રયોગ થવા છતાં પણ પોતાના નિયતકાળ મર્યાદા પહેલા પૂર્ણ થતું નથી અને મંદ પરિણામથી ઉત્પન્ન થયેલ શિથિલ બંધવાળું આયુષ્ય ઉપર કહેલા પ્રયોગો થતાં જ પોતાની નિયત કાળ મર્યાદા પહેલાં જ અંતમૂહૂર્તમાં Jain Education International 2010_03 ૧૪૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy