SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કાંક્ષા મોહનીય, અને (૭) તે પદાર્થમાં રહેલા સત્યનો અપલાપ કરે ત્યારે મિથ્યાત્વ. આમ બનતું હોવાથી સાધુઓને પણ એક ભવમાં સમ્યકત્વના હજાર પૃથકત્વ આકર્ષો હોય છે. આ પ્રમાણે નિશ્ચય કરીને બુદ્ધિશાળીઓ આગમમાં સ્થિરતાને ધારણ કરે છે. ૧૩૮ પ્રશ્ન જ્ઞાનને તદુભય ભવિક કેમ કહ્યું? ઈહ ભવિક કે ભવિક ન કહ્યું અને ઉભય ભવિક કેમ કહ્યું? અહીં જે ચૌદપૂર્વી હોય તેને દેવભવમાં તો તે ચૌદ પૂર્વનું જ્ઞાન હોતું નથી, પછી જ્ઞાનની ઉભય-ભવિકતા કેમ કહેવાય? ઈહ ભવિકતા જ કે નહિ? ઉત્તર વિશેષાવશ્યકકાર મરણ-પ્લાનપણું એ વગેરેને શ્રુતના નાશ થવામાં કારણ તરીકે કહે છે. આથી બીજી ગતિએ જતાં જ્ઞાન સાફ થઈ જાય. આ જોતાં ભવાંતરના હિસાબે તે જ્ઞાન ખસે છે તે ખરું, પરંતુ ધ્યાન રાખવું કે મેળવેલું જ્ઞાન આ ભવ, પરભવ અને એનાથી પણ આગલા ભવમાં હોય તેને આશ્રીને ત્યાં તેનું ઉભવ ભવપણું જણાવ્યું છે. ચૌદ પૂર્વો દેવપણામાં પૂર્વ તરીકે યાદ આવતા નથી એ વાત સાચી. દેવભવની અપેક્ષાએ તે બધું યાદ ન આવે, (વૃo 50 TO 138) પરંતુ ત્યાંથી ફેર મનુષ્યભવમાં આવેલાને એ સ્મરણમાં પૂર્ણ યાદ આવે. જેમ કે, તેતલિપુત્રને ચૌદ પૂર્વે સ્મરણમાં આવેલાં છે “વાવપુવાઓ'' (જ્ઞાતાધર્ષo 10 14) એક રાજા પોતાના બધા પુત્રોના અંગ કાપીને તેઓને રાજ્યગાદીને અયોગ્ય કરી મૂકે છે. તે એ ગણત્રીએ કે રખેને મારી ગાદી ખૂંચવી લે. રાણી ચેતી ગઈ. તેણે પુત્ર પ્રસવ અવસરે પ્રધાનને સમજાવીને પ્રધાનના ઘરે પુત્રને ઉછેરાવ્યો. તે પુત્ર ત્યાં મોટો થયો. રાજા મરી ગયો. પછી પ્રધાને જનતાને ૧૩૭) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy