SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર સર્વ જીવની અપેક્ષાએ લબ્ધિ-અપર્યાપ્ત સૂક્ષ્મ-નિગોદનો પહેલો ક્ષણ જ જઘન્ય ઉપયોગનું સ્થાન છે, પણ વ્યવહા૨રાશિની અપેક્ષાએ પૃથ્વી જ પહેલું સ્થાન છે. આ જ કારણથી યોનિસંગ્રહમાં (સાત લાખમાં) પૃથ્વી આદિ જ ક્રમ છે, અને જે કોઈ સ્થળે બાદર-નિગોદનો કહેવામાં આવે છે તે છેદન, ભેદન આદિક ક્રિયાના વ્યવહારરૂપ કારણને આશ્રીને છે, પણ બાદર નિગોદના અવ્યાવહારિકપણાના નિરાસનેને માટે એ સમર્થ નથી. 7 વળી ‘નૈર્દિ ન પત્તો તપ્તાર્રપ૨િામો' એ વિશેષણવતીના વચનથી બેઈન્દ્રિય આદિ ભાવને પામેલાનું વ્યવહારરાશિપણું છે, પરંતુ સર્વ ભવ્યોની સિદ્ધિ થવાની શંકાને દૂર કરવા માટે તે વચન છે. જે કારણથી ત્રસ વગેરેપણા વગર કોઈપણ સિદ્ધિ પામતો નથી, અને હંમેશા ત્રસ વગેરેપણું નહિ પામેલા એવા પણ અનંતાભવ્યો છે, તેથી ભવ્યોથી શૂન્ય સંસાર અને સર્વ ભવ્યોની સિદ્ધિ થવું નથી. વિશેષાવશ્યકમાં એ ગાથાની વ્યાખ્યામાં વ્યવહારરાશિમાં આવેલા જ સર્વ જીવો એવી વ્યાખ્યા હોવાથી સર્વ ભવ્યોની મુક્તિ નથી એ વાત પણ સિદ્ધ થાય છે. મતિ, શ્રુતજ્ઞાન સર્વ જીવોમાં છે, એટલે કે ભવસ્થ-છદ્મસ્થ જીવો મતિ, શ્રુતજ્ઞાનવાળા છે, તો પછી દરેક જીવને અક્ષરનો અનંતમો ભાગ ઊઘાડો છો, તેમ શા માટે કહો છો? જેને પ્રતિબોધ કરવો છે તે શ્રોતાને વસ્તુની સમજણ પાડવા માટે આ વસ્તુ કહી છે. બધામાં જીવપણું જુદું જુદું છે તેથી દેહથી ભિન્ન જીવ છે. (વિ0 આ0 0 1655), એમ જીવનું નક્કીપણું કરાવ્યું. ૧૩૧ પ્રશ્ન જો તે અભિપ્રાયપૂર્વકની ક્રિયાવાળો છે તો અભિપ્રાયવાળો કોણ ? Jain Education International 2010_03 ૧૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy