SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકૂલ સંશય રાખે, પરંતુ તેથી તે કુબોધમાં ગણાતો નથી. એક માણસ સ્થાણુ કે પુરૂષમાં સંશયવાળો છે, અને એક અગુરુલઘુ ગુણના સ્વરૂપમાં સંશયવાળો છે, તો શું તે બંને સરખા ગણાશે? ના. કેમ નહિ ગણાય? દૃષ્ટિમાં સ્થાણું જ પુરૂષ દેખાય છે “આ સ્થાણુ જ છે એમ નિશ્ચય કરી બેઠેલ વિદ્વાન તેમાં સંશય કરે તો મૂર્ખ ગણાય અને અપ્રમાણિક ગણાય. આ સ્થાણુ જ છે અથવા તો પુરૂષ જ છે, એવો નિશ્ચય થયો હોય તો તે પંડિત કહેવાય. પરંતુ જેને તેવો નિશ્ચય ન થયો હોય અને નિશ્ચય કરવા શંકા કરે તો અપ્રમાણિક કે અજ્ઞાની કહેવાતો નથી. વિદ્વાનની મૂળ બધી વસ્તુ સાવચેતીની છે, તેથી સંશય કરે છે. તેનો આવો સંશય નવો ધર્મ જાણવાને માટે છે, તેથી સમ્યકત્વને સંશયાદિ થાય તે મિથ્યાજ્ઞાન નથી. અને બીજાઓને તો મિથ્યાજ્ઞાન જ છે. કારણ કે તેને સત્ પદાર્થોને અસત્ માન્યા છે. ૧૨૭ પ્રશ્ન સમ્યગદષ્ટિના મતિજ્ઞાનનું બીજાં નામ છે કે મિથ્યાષ્ટિના મતિજ્ઞાન સરખું નામ છે? ઉત્તર “નામાન્તર છે” એમ આવશ્યકચૂર્ણિકાર કહે છે. કારણ કે તેઓએ આ પ્રમાણે કહ્યું છે “વિલિયા' જે સામાન્ય મતિજ્ઞાન કહેવાય છે, તે સમ્યગ્દષ્ટિએ આભિનિબોધિક જ્ઞાન છે, ને મિથ્યાદષ્ટિને તે મતિ-અજ્ઞાન છે. એ હેતુથી (સમ્યગદષ્ટિને) જિનવચનના શ્રવણથી થયેલા ઊહા વગેરે, સંશયાદિ અધ્યારોપ (મિથ્યાજ્ઞાન)થી રહિત જ હોય છે. આ જ કારણથી સંશયાદિ અધ્યારોપ રહિત જ આભિનિબોધિક જ્ઞાન છે. (૧૨) ૧૨૭. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy