SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ જેવો પદાર્થ નથી પરંતુ આ અર્થ બરાબર નથી તેથી પાંચભૂતોથી જુદો આત્મા જેવો પદાર્થ નથી એવો સંશય થયો છે. જ્યારે ‘સ વે અન્ય આત્મા જ્ઞાનમય સત્યેન લભ્યસ્તપસા દ્વેષ બ્રહ્મચર્યેણ નિત્ય જયોતિર્મયો હિ શુધ્ધોડયું પશ્યન્તિ ધીરા યતયઃ સંયમાત્માનઃ દદદ દમો દાન દયા ઈતિ દકાર ત્રય યો વેત્તિ સ જીવ:'' આ વેદ પદોથી આત્માની સિદ્ધિ થાય છે એટલે પરસ્પર વિરોધી અર્થવાળા વેદોના જ વાક્યોથી તમને (ઈંદ્રભૂતિ) સંશય થયો છે. ભગવાન મહાવીર સ્વામીએ જીવના સંશયનો ઉત્તર આપતાં વેદ પદોનો સાચો અર્થ સમજાવતાં કહ્યું કે, જ્ઞાન દર્શનના ઉપયોગ રૂપ વિશિષ્ટ જ્ઞાનમય આત્મા ભૂતોના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. સામાન્ય ઉપયોગરૂપ આત્મા નિત્ય હોવા છતાં કોઈ પદાર્થના ઉપયોગવાળો થાય ત્યારે તે વિશિષ્ટ જ્ઞાનવાળો થયો કહેવાય. તે વિશેષ જ્ઞાનવાળા આત્માનો જે ઉપયોગ પંચભૂતમય પદાર્થના જ્ઞાનમાંથી ઉત્પન્ન થાય છે. તે ઉપયોગ પંચભૂતમય પદાર્થના નાશ પછી અથવા પદાર્થના દૂર થવાથી કે બીજા ઉપયોગમાં જવાથી વિનાશ પામે છે એટલે કે તે ઉપયોગ રહેતો નથી. નવા પદાર્થનું જ્યારે જ્ઞાન થાય ત્યારે નવા ઉપયોગરૂપ તે જ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીં ભૂત શબ્દનો અર્થ પાંચ ભૂત જ નથી પણ જડ અને ચેતન સમસ્ત જ્ઞેય પદાર્થોનો અર્થ સમજવો. દાખલા તરીકે જેમ ઘડાના જ્ઞાનમાં પંચભૂતમય જે ઘડો છે તેથી આત્મામાં આ ઘડો છે એવો ઉપયોગાત્મક જ્ઞાન (પર્યાય) ઉત્પન્ન થાય છે. જ્યારે ઘડાનો નાશ થાય છે અથવા ઘડો દૂર થાય છે ત્યારે તેમાંથી ઉત્પન્ન થયેલો જે જ્ઞાન (પર્યાય) તેનો પણ નાશ થાય છે. ન પ્રેત્ય સંસા૨ોડસ્તિ એનો અર્થ એ જ થયો કે ઘડાનો નાશ થયા પછી એ ઘડા સંબંધી આત્માનો જ્ઞાન પર્યાય નાશ પામે છે. (જ્ઞાન એ આત્માનો પર્યાય છે) પણ તમને એમ સમજાયું કે આત્મા નામની કોઈ Jain Education International 2010_03 ૧૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy