SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ વિશેષ પ્રચલિત અને ગૌરવવંતુ સ્થાન ધરાવે છે. કલ્પસૂત્રના છઠ્ઠા વ્યાખ્યાનમાં ગણધરવાદની વિચાર સૃષ્ટિ જૈન દર્શનના કેટલાક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરે છે. ભગવાન મહાવીર સ્વામી સાથે ૧૧ ગણધરોની પ્રશ્નોત્તરી ગણધરવાદ કહેવાય છે. ગણધરવાદની રચના એક અદ્ભૂત અને આશ્ચર્યકારક પ્રસંગ માનવામાં આવે છે. સર્વશ એવા શ્રી મહાવીર પ્રભુ વેદના પદોનું વિશ્લેષણ કરીને યથોચિત અર્થઘટન દ્વારા ગણધરોના સંશય દૂર થયા એટલે ગણધરોએ પોતાના શિષ્યવૃંદ સાથે ભગવાન મહાવીર પાસે દીક્ષા સ્વીકારી અને અંતે દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાથી મુક્તિ સુખને પામ્યા હતા. ગણધરોના સંશયની સંક્ષિપ્ત વિગત નીચે મુજબ છે. ઈંદ્રભૂતિને જીવનો સંશય, ૨ - અગ્નિભૂતિને કર્મ, ૩ - વાયુભૂતિને જીવ તે જ શરીર, ૪ - વ્યક્તને પંચમહાભૂત, ૫ - સુધર્માને આ જન્મ જેવો જ અન્ય જન્મ, ૬- મંડિતને કર્મના બંધનો, ૭ - મૌર્યપુત્રને દેવનો, ૮ - અકંપિતને નાકનો, ૯ અચલ ભ્રાતાને પુણ્યનો, ૧૦ - મેતાર્ય પરલોકનો, ૧૧ - પ્રભાસને મોક્ષનો, આ રીતે ૧૧ ગણધરોને વિવિધ વિષયના સંશય હતા તેનું પ્રભુ મહાવીર સ્વામીએ નિરાકરણ કર્યું હતું. અહીં ઈંદ્રભૂતિના સંશયનું દૃષ્ટાંત નોંધવામાં આવ્યું છે. ઈંદ્રભૂતિને વેદવાક્યો પરસ્પર વિરોધી લાગવાથી જીવ વિશે સંશય થયો હતો. પણ તે પદોનો બરાબર અર્થ કરવામાં આવે તો શકા નિર્મૂળ થઈ જાય. વેદનું પદ નીચે પ્રમાણે છે : ‘‘વિજ્ઞાન ધન શ્વેતેમ્યો ભૂતેભ્યઃ સમુત્ચાય તાન્યેવાનુ વિનશ્યતિ ન પ્રેત્યસંજ્ઞાડસ્તિ ।।'' આ વેદ પદનો અર્થ એવો કરો છો કે પૃથ્વી વગેરે પાંચ ભૂતોમાંથી ચેતના ઉત્પન્ન થઈને પાંચભૂત વિખરાઈ જવાની સાથે ચેતના પણ પાણીના પરપોટાની જેમ નાશ પામી જાય છે તેથી તેને પરલોક જવાનું હોતું નથી. એટલે કે તેનો પુનર્જન્મ નથી. પરલોકમાં જનાર આત્મા Jain Education International 2010_03 .. ૧૨૨ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy