SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસ્વરૂપની શાસ્ત્રીય વિચારધારાને મૂર્તિમંતરૂપે વહેવડાવી છે. કવિએ સુમતિવ્યવહારમાં કાવ્યરૂપે પ્રશ્નોત્તરની રચના કરી છે. તેનું નામ ગણધર કેશી સ્વામી અને ગૌતમસ્વામીના પ્રશ્નોત્તર. તેમાં કુલ છ ઢાળમાં પ્રશ્નોત્તરનો સમાવેશ થયો છે. અર્વાચીન કાળના આ કવિએ મધ્યકાલીન કાવ્યપરંપરાનુસાર દુહાથી વિષયવસ્તુનો નિર્દેશ કરીને ઢાળબદ્ધ પ્રશ્નોત્તરનું નિરૂપણ કર્યું છે. ગણધરભગવંતનો વચનોનો મહિમા ગાઈને કાવ્યનો પ્રારંભ કર્યો છે. અમૃત વચન ગણધર તણાં સ્યાત્ પદસમ શુચિ બોધ સુણતાં ભવિજન હૃદયમાં પ્રગટે પરમ પ્રમોદ TI૧T ગુરૂ ગૌતમ કેશી તણો, સુણતાં વચન સુવાદ આતમ આતમતા લહે નાશે દુષ્ટ વિષાદ મારા અત્રે બે ઢાળની ગાથામાં બે પ્રશ્નોત્તરનો ઉલ્લેખ થયો છે તે કવિના શબ્દોમાં જ નોંધવામાં આવે છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યનનમાં કેશી-ગૌતમીય પ્રશ્નોત્તર મૂળ પ્રાકૃત ભાષામાં છે તે સંદર્ભમાં કવિ મનસુખલાલે ઢાળબદ્ધ રચના કરી છે. ઢાળ પહેલી દેશ મનોહર માલવો પુરૂષ પ્રધાન શ્રી પાસજી ત્રિજગ પૂજ્ય ભગવંતલલના કેવલ દર્શન જ્ઞાનનો જલહલ જ્યોતિ દિગંદ લલના વચન સુણો ગણધર તણાં પામો સુખ લલના જિનવાણી.. હૃદય ધરો એ આંકણી // ૧ // અરિ જીપી તીરથ થાપીને, તાર્યા ભવ્ય અનેક લલના ! તાસ ચરણ પ્રણમી કહું, હૃદયે પરમ વિવેક લલના તારા ૧૧૪ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy