SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ તેને પીસવામાં આવે છે. તો પણ તેઓના હાડકાં વજ જેવા હોવાથી તેઓનો જલદી પ્રાણ વિયોગ થતો નથી. ત્યાં ઘોર દારૂણ મહાદુઃખ અનુભવે છે. એક વરસ સુધી તો તેના હાડકાનાં બે ટુકડા પણ થતા નથી. ઘસારો પણ લાગતો નથી ફક્ત સાંધાના બંધન છુટા પડી જર્જરિત થાય છે. ૧૨૪ પ્રશ્ર હે ભગવંત! કુશીલનો સંસર્ગ કરવાથી શું ફળ થાય? ઉત્તર હે ગૌતમ! પાખંડી નિન્દવ અને કુશીલનો સંસર્ગ કરે. અને તેને અનુકૂલ બોલે તેના સ્થાનમાં જાય. તેના ગ્રંથો સંયમ, જ્ઞાન અને પંડિતાઈની શ્લાઘા કરે તો તે સંયમ પાળવા છતાં દુર્ગતિમાં અનંતકાળ રખડે છે માટે સંયમનું પ્રથમ પગથીયું કુશીલ સંસર્ગનો ત્યાગ કરવો અને કુશીલ સંસર્ગમાં એક પહોર કે અડધો પહોર પણ વાસ ન કરવો. ૧૨૫ પ્રશ્ર હે ભગવંત! ગચ્છ કેવો હોય? ઉત્તર હે ગૌતમ! શત્રુ મિત્ર પ્રત્યે સમભાવવાળો, નિર્મલ ચિત્તવાળો, આશાતનામાં ભીરૂ, સર્વનો ઉપકાર કરવામાં ઉદ્યમવાળો, છ જીવનિકાય વત્સલ, અત્યંત અપ્રમાદી, શાસ્ત્રોના પરમાર્થોને જાણનાર, પુરૂષાર્થ તથા બલ વીર્યને ન છુપાવનાર, અઢાર હજાર શીલાંગનો આરાધક, યથોપદિષ્ટ પ્રરૂપણા કરનાર, માર્ગસ્થિત, મહાસત્ત્વવાળો નાણ દંસણ ચરણ ગુણવાનું આદિ ગુણયુક્ત ગચ્છ હોય. વિશાનીમા જૈન જ્ઞાતિના શ્રાવકકવિ મનસુખલાલે આત્મલક્ષી સ્વાધ્યાય માટે સુમતિ પ્રકાશ, સુમતિ વિલાસ, સુમતિવ્યવહાર અને નવપદજાદિ સંગ્રહની રચના કરી છે. કવિના વિચારો દ્રવ્યાનુયોગ અને નિશ્ચય નય તરફ વધુ લક્ષ રાખવા માટેનો કેન્દ્રવર્તી વિચાર પ્રગટ કરે છે. એમણે પૂજા, પદ, સ્તવન ચોવીશી, ગઝલો, ઢાળિયાં વગેરે દ્વારા ૧૧૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy