SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગૌતમસ્વામીજીનાં પ્રશ્નોત્તરો ૧૨૦ પ્રશ્ર હે ભગવંત! ભવ્યજીવો પરમાધાર્મિકમાં ઉપજ ખરા? ઉત્તર હે ગૌતમ! જે કોઈ ઉત્તમ એવા હિતોપદેશની અવજ્ઞા કરે. અનાચારની પ્રશંસા કરે કે અનુમોદન કરે તે મહાતપઅનુષ્ઠન કરવા છતાં પણ પરમાધાર્મિક અસુરમાં ઉત્પન્ન થઈ અનંત સંસાર ભમી દુઃખી થાય છે. ૧૨૧ પ્રશ્ન હે ભગવંત! પરમાધાર્મિક દેવો મરીને ક્યાં ઉત્પન્ન થાય છે? ઉત્તર હે ગૌતમ! લવણ સમુદ્રમાં અંડગૌલિક જલચર મનુષ્ય તરીકે વજરૂષભ નારાચ સંઘયણવાળા, માંસ મદિરામાં આસક્ત અને નિષ્ફર બને છે. તે જલચર મનુષ્યોની અંગોલીકા ચમરી ગાયના પુચ્છના વાળથી ગુંથી તે કાને બાંધવાથી રત્ન માટે સમુદ્રમાં સુખે પેસી શકાય છે. તેથી બીજા જલચર જીવો પરાભવ કરી શકતા નથી. ૧૨ર પ્રશ્ર અંડગોલિયા જલચર મનુષ્ય પકડાય ખરા? ઉત્તર હા તેને પકડવા માટે તેના અર્થી ઘણા ઉપાયો અને સાહસ કરે છે. કવચ પહેરી હથિયારથી સજ્જ થઈ જીવના જોખમે તેને પકડે છે. પકડાતી વખતે તે અંડગોલિયા મનુષ્ય નારકીના દુ:ખ જેટલું દુઃખ પામે છે. ૧૨૩ પ્રશ્ન અંડગોલિક કઈ વિધિથી પકડાય? ઉત્તર તેને પકડનારા મનુષ્ય ઘંટીના આકારવાળા વ્રજશિલાના બે પડમાં મચ્છી, મધ ભેગા કરી લેપવાળા કરી પકાવેલા માંસના ટુકડાઓ તથા મધ-મદિરાના ભાજનો ત્યાં ખાલી કરે છે. ત્યાં અંગોલિયા આવી સ્વાદમાં આસક્ત બને છે ત્યારે બંને પડ અચાનક એક સાથે ભેગા કરી તેને હૂંડી નાંખવા (કાળા બળદો જોડી) ઘંટીથી ચક્રની જેમ એક વરસ (૬ માસ) સુધી ( ૧૧૨ ) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy