SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્તર ૧૦૫ પ્રશ્ન ઉત્તર રાહુનું કાળું વિમાન હંમેશા ચંદ્રમાંની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુક્લપક્ષમાં ચંદ્રનો ૬૨-૬૨મો ભાગ રાહુથી અનાવૃત્ત થતો રોજ વધે છે અને કૃષ્ણ પક્ષમાં તેટલા જ સમયમાં રાહુથી આવૃત્ત થઈને ઘટે છે. ચંદ્રમાના પંદર ભાગ ક્રમશઃ રાહુના પંદર ભાગોથી અનાવૃત્ત થતા જાય છે અને પછી આવૃત્ત થતા જાય છે. એ કારણથી ચંદ્રમાં વૃદ્ધિ અને હાસને પામે છે. એ જ કારણે જ્યોત્સના અને કાલિમા આવે છે. મનુષ્યલોકમાં ઉત્પન્ન અને સંચરણ કરવાવાળા ચંદ્ર, સૂર્ય, ગ્રહ-સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ હોય છે. મનુષ્ય લોકબહા૨ જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર છે તેની ગતિ પણ નથી અને સંચરણ પણ નથી તેથી તેને સ્થિર જ્યોતિષ્મ કહેવાય. સિદ્ધો ક્યાં અટકે છે ? ક્યાં પ્રતિષ્ઠિત થાય છે ? શરીરનો ક્યાં ત્યાગ કરે છે ? તેમજ ક્યાં જઈને સિદ્ધ થાય છે ? શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય. તે સંસ્થાને જ આત્મ પ્રદેશો ઘનીભૂત થઈને તે સિદ્ધ અવસ્થા પામે છે. અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હસ્વ પ્રમાણ હોય છે તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધોની અવગાહના થાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના ૩૩૩ ધનુષથી કંઈક વધારે હોય છે તેમ જાણવું. સિદ્ધની મધ્યમ અવગાહના ૪ હાથપૂર્ણ ઉ૫૨ બે તૃતિયાંશ હસ્ત પ્રમાણે કહી છે. (નોંધ : અહીં રત્ની શબ્દ છે. રત્ની એટલે એક હાથ પ્રમાણે જેને કોશમાં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.) જઘન્ય અવગાહના ૧ હાથ પ્રમાણ અને આઠ અંગુલથી કંઈક અધિક કહેલી છે. અંતિમ ભવના શરીરના Jain Education International 2010_03 ૧૦૬ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy