SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે. જેમાં વ્યંતરદેવો શ્રેષ્ઠ તરુણીના ગીત અને સંગીતના અવાજને કારણે નિત્ય સુખમુક્ત અને આનંદિત રહેતા પસાર થતાં સમયને જાણતા નથી. મણિ-સ્વર્ણ અને રત્નોના સૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતરદેવોનું જઘન્ય આયુ ૧૦૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહીછે હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ. ' ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકારના જ્યોતિષીદેવ કહ્યા છે. હવે તેની સ્થિતિ અને ગતિ કહીશ. તિર્થાલોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્થ ફળના આકારવાળા સ્ફટિક રત્નમય, રમણીય અસંખ્યાત વિમાન છે. રત્નપ્રભા પૃથ્વીના સમભૂતલા ભાગથી ૭૯૦ યોજન ઊંચાઈએ તેનું નિમ્ન તળ છે અને તે સમભૂતલા પૃથ્વીથી સૂર્ય ૮૦૦ યોજન ઉપર છે. એ જ રીતે ચંદ્રમાં ૮૮૦ યોજનમાં ઉપર છે એ રીતે જ્યોતિષ દેવોનો વિસ્તાર ૧૧૦ યોજનમાં છે. એક યોજનના ૬૧ ભાગ કરીએ તો ૬૧ ભાગમાં પ૬માં ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. અને સૂર્યનો આયામ વિખંભ ૪૮ ભાગ જેટલો હોય છે. જેમાં જ્યોતિષી દેવ શ્રેષ્ઠ તરુણીઓના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતા કાળને જાણતા નથી. ૧૦૪ પ્રશ્ર કયા કારણથી ચંદ્રમા વધે છે અને કયા કારણથી ચંદ્રમાં ક્ષીણ થાય છે? અથવા કયા કારણથી ચંદ્રની જ્યોત્સના અને કાલિમા થાય છે? ( ૧૦૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy