SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ મહાનુભવોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪લાખ છે. તે ભૂતાનંદ અને ધરણ નામક બંને નાગકુમા૨ ઈન્દ્રોની શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૮૪ લાખ છે, હે સુંદ૨! વેણુદેવ અને વેણુદાલિ એ બંને સુપર્ણ ઈન્દ્રોના ભવનો ૭૨ લાખ છે, વેલંબ અને પ્રભંજન એ વાયુકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૯૬ લાખ છે. આ રીતે અસુરોના ૬૪, નાગકુમારના ૮૪, સુવર્ણકુમા૨ના ૭૨, વાયુકુમારના ૯૬, દ્વિપ-દિશાઉદધિ-વિદ્યુત-સ્તનિત અને અગ્નિ એ છ એ યુગલોના પ્રત્યેક ભવન ૭૬-૭૬ લાખ છે. હે લીલાસ્થિત સુંદરી હવે તેમની સ્થિતિ અર્થાત્ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ. હે સુંદરી! ચમરેન્દ્રની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક સાગરોપમ છે. તે જ બલિ અને વેરોચન ઈન્દ્રની પણ સમજવી. ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દોઢ પલ્યોયમ છે. બલિ સિવાયના બાકી જે ઉત્તરદિશા સ્થિત ઈન્દ્રો છે તેની આયુસ્થિતિ કંઈક ન્યુન બે પલ્યોયમ છે. આ બધું આયુ-સ્થિતિનું વિવરણ છે. હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદ૨ નગરોનું માહાત્મય પણ સાંભળ. સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વી ૧૧૦૦૦ યોજન છે. તેમાં એક હજા૨ યોજન ઉપરાંત ભવનપતિના નગર બનેલા છે. આ બધાં ભવન અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે. સ્વાભાવિક રીતે અન્યના સુંદ૨ ૨મણીય, નિર્મળ અને વજ્ર રત્નના બનેલા છે. ભવન નગરીના પ્રાકા૨ સોનાના બનેલા છે. શ્રેષ્ઠ કમળની પાંખડી પર રહેલા આ ભવન વિવિધ મણીઓથી શોભિત સ્વભાવથી મનોહારી જણાય છે. લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પમાળા અને ચંદનથી બનેલા દરવાજાથી યુક્ત તે નગરોના ઉપરના Jain Education International 2010_03 ૧૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy