SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ કાયસ્થિતિનો કાળ જઘન્યથી તો એક અંત મુહુર્તનો છે, અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. સાદિ અપર્યવસિત અકષાયિક અને સાદિક સપર્યવસિત અકષાયિક જેમાં જેઓ સાદિક સપર્યવસિત અકષાયી જીવ છે, તેની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક સમયનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનો છે. જે જીવ અનાદિ અપર્યવસિત કષાયવાળા હોય છે તેમને પણ અંતર હોતું નથી. જે કષાયવાળા જીવ અનાદિ સપર્યવસિત કષાયવાળા હોય છે તેમને પણ અંતર હોતું નથી. કષાયવાળા જીવ સાદિક સપર્યવસિત હોય છે, તેમનું અંતર જઘન્યથી તો એક સમયનું હોય છે અને ઉત્કૃષ્ટથી એક અંતમુહુર્તનું હોય છે. જે અકષાયિક જીવ સાદિ અપર્યવસિત કષાયવાળા હોય છે, તેમનું અંતર હોતું નથી. અને જે અકષાયિક જીવ સાદિક સપર્યસિત કષાયવાળા હોય છે તેનું અંતર જઘન્યથી તો એક અંતમુહુર્તનું હોય છે અને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધીનું અંતર હોય છે. ૮. પયગ્રા સૂત્ર જે તીર્થકરોને જેટલા શિષ્યો ઓત્પાતિકી, વૈનાયિકી, કાર્મિકી અને પારિણામિકી એમ ચાર પ્રકારની બુદ્ધિથી વિભૂષિત હોય તે તીર્થકરના સમયમાં તેટલા હજાર પ્રકીર્ણક રચાય અને એમના તીર્થમાં પ્રત્યેક બુદ્ધની સંખ્યા પણ એટલી જ હોય, આમ નંદીની મલયગિરિસૂરિ કૃત ટીકા (પત્ર ૨૦૮-આ) માં કહ્યું છે. મહાવીર સ્વામીના ૧૪૦૦૦ બુદ્ધિશાળી શિષ્યોએ પણગો રચ્યાં હતાં. એ બધાં આજે મળતાં નથી. જે મળે છે તેમાંના આ સમિતિ તરફથી છપાયેલા દસનો સંક્ષિપ્ત પરિચય આપું છું. દેવિંદથય (દેવેન્દ્ર સ્તવ) – આમાં ૩૦૭ ગાથા છે. ઋષભદેવથી ૧૦૦) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy