SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યો છે. હવે બીજો પ્રશ્ન જે કરવામાં આવે છે તેનું આપ સમાધાન કરો! શ્રી કેશી કહે છે કે – હે ગૌતમ! આંધળાની જેમ જનને અંધ કરનાર હોઈ અંધકાર-તમસમાં ઘણાં પ્રાણીઓ રહે છે, તો સર્વલોકમાં પ્રાણીઓને કોણ પ્રકાશ કરનાર હશે? શ્રી ગૌતમ કહે છે કે સર્વલોકમાં પ્રાણીઓને સર્વલોકપ્રકાશકર, ઉગેલો અને નિર્મલ ભાનુ પ્રકાશ કરશે. શ્રી કેશી કહે છે કે તમે કહેલ આ ભાનુનો પરમાર્થ શો? શ્રી ગૌતમ જણાવે છે કે સદા ઉદિત, ક્ષણકર્મસંબંધરૂપ સંસારવાળા, સર્વજ્ઞ અને શ્રી જિનેશ્વરરૂપી ભાસ્કર, સર્વલોકમાં પ્રાણીઓને મોહરૂપી અંધકારને દૂર કરવા દ્વારા સર્વ વસ્તુ વિષયક પ્રકાશરૂપી ઉદ્યોત આપશે. હે ગોતમ! તમારી પ્રતિભા પરમ છે, કે જે પ્રતિભાએ મારા સંશયનું નિરાકરણ કર્યું. હવે હું બીજો પ્રશ્ન મૂકું છું તેનું તમે નિરાકરણ કરો! શ્રી કેશી કહે છે કે, હે મુનિ! શરીર અને મનના દુ:ખોથી રીબાતા પ્રાણીઓને માટે, વ્યાધિના અભાવથી ક્ષેમરૂપ, સર્વ ઉપદ્રવના અભાવથી શિવરૂપ, સ્વાભાવિક બાધા વગરનું હોઈ અનાબાધરૂપ સ્થાન કર્યું તમે જાણો છો? શ્રી ગૌતમ જણાવે છે કે લોકના અગ્રે દુ:ખે ચઢી શકાય એવું એક ધૃવસ્થાન છે, કે જ્યાં જરા અને મરણ નથી એટલે શિવત્વ છે, તેમજ શરીર અને મનના દુઃખના અનુભવરૂપ વેદનાઓ નથી અર્થાત્ અનાબાધત્વ છે અને વ્યાધિઓ નથી એટલે ક્ષેમત્વ છે. શ્રી કેશી કહે છે કે સ્થાનને શાસ્ત્રમાં કયા કયા શબ્દથી સંબોધેલ છે? શ્રી ગૌતમ જણાવે છે કે નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર, ક્ષેમ, શિવ અને અનાબાધ-આવા શબ્દોથી ધ્રુવસ્થાન સંબોધાય છે. તેને મહર્ષિઓ મેળવે છે. વળી નારક વગેરે ભવપ્રવાહના અંત કરનારા મુનિઓ, તે લોકના અગ્ર ઉપર દુઃખે કરી ચડી શકાય એવા તે નિત્ય અવસ્થિતિવાળા-શાશ્વત આવાસને પામેલા શોકરહિત બને છે. ૭. જીવાજીવાભિગમ સૂત્ર જીવાજીવાભિગમ એ ચોથું ઉપાંગ સૂત્ર છે. તેમાં જીવના સ્વરૂપ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy