SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ આરૂઢ થયેલા છો. છતાં તે ઘોડો આપને ઉન્માર્ગમાં કેમ લઈ જતો નથી? ત્યારે શ્રી ગૌતમ કહે છે કે, ઉન્માર્ગ તરફ દોડતાં તે ઘોડાને હું આગમરૂપી રજ્જુથી બંધાયેલો કરૂં છું યાને આગમરૂપી લગામથી હું ઘોડાને કબજે રાખું છું. આ ઘોડો ભલે દુષ્ટ હોય તો પણ તે ઉન્માર્ગે જતો નથી પરંતુ માર્ગે ચાલે છે. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને કહ્યું કે તમે જે ઘોડો કહ્યો તે કોણ ? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે, સાહિંસક ભીમ ‘મન’ એ દુષ્ટ અશ્વ છે. જે મનરૂપી દુષ્ટ અશ્વ દોડી રહ્યો છે, તેને ધર્મ-અભ્યાસ માટે કંથક-જાતિમાન ઘોડાની માફક સારી રીતિએ હું લગામમાં-કાબૂમાં કરૂં છું, અર્થાત્ દુષ્ટ ઘોડો પણ જો નિગ્રહ યોગ્ય હોય તો જાતિવાન અશ્વ જેવો જ છે. - હે ગૌતમ ! આપની બુદ્ધિ શ્રેષ્ઠ છે કે જે બુદ્ધિ આ મારો સંશય તોડી નાંખનારી બની. હવે બીજો સંશય જે જણાવવામાં આવે છે તેનો આપ ખુલાસો કરો! હે ગૌતમ! લોકમાં ઉન્માર્ગો ઘણાં છે કે, જે ઉન્માર્ગોથી જંતુઓ નષ્ટ થાય છે. તો તમે સન્માર્ગમાં કેમ વર્તી રહ્યા છો ? સન્માર્ગથી કેમ પડી જતા નથી? ત્યારે શ્રી ગૌતમસ્વામી જવાબ આપે છે કે – હે મુનિ! જેઓ માર્ગથી જાય છે અને ઉન્માર્ગે જાય છે, તે તમામ માર્ગો મેં જાણ્યા છે. આ સર્વ માર્ગો માર્ગ અને ઉન્માર્ગના જ્ઞાનથી જણાય છે. આથી માર્ગ અને ઉન્માર્ગના જ્ઞાનથી હું નષ્ટ થતો નથી. હવે શ્રી કેશીએ શ્રી ગૌતમને પૂછ્યું કે - જે તમે માર્ગો અને ઉન્માર્ગો જાણ્યા છે તે ક્યાં છે ? શ્રી ગૌતમ કહે છે કે - કુપ્રવચન પાખંડી-કપિલ વગેરે દર્શનમાં રહેલ ઈતર દર્શનીઓ, કુપ્રવચન એ કુમાર્ગ કહેવાય છે તેથી તે બધા ઉન્માર્ગગામીઓ છે, જ્યારે શ્રી જિનેશ્વરે કહેલ ધર્મ-જૈનશાસન સન્માર્ગ છે. આથી આધ્યાત્મિક જૈનદર્શનરૂપ માર્ગ બીજા દર્શનોરૂપી માર્ગોથી ઉત્તમઉત્કૃષ્ટ છે. હે ગૌતમ! આપની બુદ્ધિ પરમ શ્રેષ્ઠ છે, કે જે પ્રજ્ઞાએ આ મારો <3 Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy