SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧ પ્રશ્ન રહે એવો તેનો સ્વભાવ છે. જેમ દીવાનો પ્રકાશ નાના મોટા ઓરડામાં વ્યાપીને રહે છે. તે જ દીવાને જો તપેલા વગેરેથી ઢાંકીએ તો તેટલા જ ભાગમાં વ્યાપીને રહે છે. તે જ રીતે જીવ પણ જેવડું શરીર હોય તેવડા શરીરમાં વ્યાપીને રહે છે. પ્રદેશી રાજા : હે ગુરૂદેવ ! હવે મને બરાબર સમજાયું છે. પણ મારા પિતા પિતામહ વગેરેની પરંપરાથી આવતા ધર્મનો ત્યાગ મારે કેમ કરવો ? ઉત્તર ગુરૂ મહારાજ : હે રાજન! કેટલાક પુરૂષો ધન ઉપાર્જન કરવા ચાલતા ચાલતા એક અટવીમાં આવ્યાં. ત્યાં ભૂમિમાંથી ઘણું લોઢું મળ્યું. તે લઈ તેઓ આગળ ચાલ્યાં. આગળ જતાં સીસાની ખાણ જોઈ તો લોઢું નાંખી દઈને સીસું લઈ લીધું. પરંતુ એક કદાગ્રહી પુરૂષે લોઢું નાખી દીધું નહિં. આગળ ચાલતાં તાંબું, રૂપું, સોનું ને રત્નોની ખાણ જોઈને બધાઓએ નિઃસાર હલકી વસ્તુનો ત્યાગ કરી નવા નવા સાર કીંમતી પદાર્થો લીધાં. માત્ર એક જ કદાગ્રહી પુરૂષે કાંઈપણ ન લેતાં લોઢું જ રાખી મુક્યું. આખરે સર્વ સાર લેનાર ધનિક થયા. ત્યારે લોઢું ત્યાગ ન કરી ઠેઠ સુધી રાખી મુકનાર દરિદ્રી જ રહ્યો. આ પ્રમાણે નિઃસાર ધર્મને પકડી રાખનારને પાછળથી પ્રશ્ચાતાપ કરવો પડે છે. ઉત્તરજ્ઞયણ (ઉત્તરાધ્યયન) આ આગમનું નામ જાતિમાં બહુવચનમાં છે. પહેલાના વખતમાં આયારનો અભ્યાસ કરાયા બાદ આ આગમનો અભ્યાસ કરાતો હતો. એ ઉપરથી આનું આ નામ પડાયું છે. આ હકીકીતને વવહાભાસ તેમજ તત્વાર્થાધિ- (અ. ૧, સૂ. ૨૦)ની સિદ્ધસેનગણિકૃત ટીકા (પૂ. ૯૦) સમર્થન Jain Education International 2010_03 ૭૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy