SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ લેશ્યા 315 પછી કેવળજ્ઞાનીને ફક્ત એક શુકલ લેશ્યા જ હોય છે, પરંતુ કેવળજ્ઞાનીને કષાય હોતા નથી. લેશ્યા અને યોગ (મન, વચન કે કાયાના અથવા ત્રણેના) વચ્ચેનો સંબંધ અવિનાભાવ છે. જ્યાં યોગ છે ત્યાં લેશ્યા છે અને જ્યાં લેશ્યા છે ત્યાં યોગ છે. લેગ્યા માટે મન, વચન અને કાયા એ ત્રણેના યોગ સાથે હોવા અનિવાર્ય નથી. એકેન્દ્રિય જીવોમાં ફક્ત કાયયોગ હોય છે. તેઓને વચનયોગ અને મનોયોગ ન હોવા છતાં તેઓને વેશ્યા હોય છે. સયોગી કેવળીને શુકલ લેશ્યા હોય છે. અયોગી કેવળી અલેશી હોય છે. લેશ્યાનો જ્ઞાન-અજ્ઞાન સાથે સંબંધ કેવો છે એ વિશે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે કૃષ્ણલેશ્યાથી પાલેશ્યાવાળા જીવોમાં ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. શુકલલેશ્યાવાળા જીવોમાં પાંચ જ્ઞાન તથા ત્રણ અજ્ઞાનની ભજના હોય છે. અલેશી જીવમાં નિયમથી ફક્ત એક કેવળજ્ઞાન હોય છે. જેમ જેમ લેગ્યાની વિશાદ્ધિ થતી જાય તેમ તેમ જ્ઞાનની વિશુદ્ધિ થતી જાય છે. વિશુદ્ધ જ્ઞાન માટે લેગ્યાની વિશુદ્ધિ હોવી જરૂરી છે. ઉદાહરણ તરીકે વિશુદ્ધ લેશ્યા હોય તો જ જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તો જ અવધિજ્ઞાન થાય છે. મન:પર્યવ જ્ઞાન અતિશય વિશુદ્ધ જ્ઞાન છે અને કૃષ્ણલેશ્યા તો સંક્લિષ્ટ અધ્યવસાયરૂપ છે. તો પછી કૃષ્ણલેશ્યા અને મન:પર્યવ જ્ઞાનનો સંબંધ કેવી રીતે ઘટી શકે ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં પ્રજ્ઞાપના સૂત્રમાં કહેવાયું છે કે પ્રત્યેક વેશ્યાના અસંખ્યાત લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાય હોય છે. એમાંથી કેટલાયે મંદ રસવાળાં અધ્યવસાયસ્થાન પ્રમત્તસંયતને પણ હોય છે. એટલે કૃષ્ણ લેશ્યા, નીલ ગ્લેશ્યા અને કાપોત લેશ્યા પ્રમત્ત ગુણસ્થાન સુધી હોય છે. બીજી બાજુ મન:પર્યવજ્ઞાન સૌ પ્રથમ થાય છે તો અપ્રમત્ત ગુણસ્થાનવાળાને જ. પરંતુ અપ્રમત્ત ગુણસ્થાન અને પ્રમત્ત ગુણસ્થાન વચ્ચે ચડઊતર, આવનજાવન થાય છે. એટલે અપ્રમત્ત ગુણસ્થાનવાળા મહાત્મા જો અને જ્યારે પ્રમત્ત ગુણસ્થાનકે આવે ત્યારે મન:પર્યવજ્ઞાન તો હોય જ છે. આ રીતે કૃષ્ણ વેશ્યાવાળાને પણ મન:પર્યવજ્ઞાન સંભવી શકે છે. આ એક સંભાવના છે. જો કે એ અત્યંત વિરલ અને અપવાદરૂપ છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય વગેરેમાં રહેતો કૃષ્ણ લેશ્યાવાળો Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy