________________
જૈન ધર્મના પુષ્પગુચ્છ પ્રકાર બતાવવામાં આવ્યા છે જેમકે-(૧) સોનાગ એટલે ચંડાલના કરંડ એટલે ટોપલા અથવા પાત્ર જેવા, (૨) વેશ્યાના ટોપલા જેવા, (૩) ગાથાપતિ અર્થાત ગૃહપતિના ટોપલા જેવા અને (૪) રાજાના ટોપલા જેવા.
બધા આચાર્યો એકસરખા નથી હોતા. કેટલાક તો શાસનનું રક્ષણ કરવાને બદલે શાસનનું અહિત કરે છે. તેઓ તીર્થકરની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એટલે જ ગચ્છાચાર પ્રકીર્ણમાં અને “સંબોધ પ્રકરણમાં એમને સન્દુરુષ નહિ પણ કાપુરુષ કહ્યા છેઃ મા મ મતો સો પુરિસો, ને જ્યુરિસો !
આચાર્યપદનું આટલું બધું ગૌરવ હોવા છતાં જે જે આચાર્ય ભગવંતો પોતાનો અંતિમ કાળ નજીક જાણીને સંથારો-સંલેખના લે છે તેઓ સંઘ સમક્ષ જાહેરમાં અથવા અંગત રીતે પોતાના આચાર્યપદનો ત્યાગ કરે છે. તેઓ વિશુદ્ધ આત્મભાવમાં હોવાથી જિનશાસનની-લોકવ્યવહારની દૃષ્ટિએ અપાયેલા પદથી પર થઈ ગયા હોય છે. કેટલાક મહાત્માઓ પોતાના ઉત્તરાધિકારીને પોતાના સમુદાયની ધુરા વેળાસર સોંપવા માટે પોતાની હયાતીમાં જ આચાર્યપદનો ત્યાગ કરે છે.
આચાર્યના પદ ઉપર ઉપાધ્યાયાદિને જ્યારે આરૂઢ કરવામાં આવે છે ત્યારે એ દૃશ્ય નિહાળવા જેવું હોય છે. જૈન શાસનમાં આચાર્યની પદવીનો મહિમા કેટલો બધો છે તે ત્યારે જોવા મળે છે. જ્યારે નૂતન આચાર્યની પદવી આપવામાં આવે છે અને આચાર્યનું નામાભિધાન જાહેર થાય છે ત્યારે નૂતન આચાર્યને પાટ પર બેસાડી, એમના ગુરુ મહારાજ નીચે ઊતરી, ખમાસમણાં દઈ આચાર્ય બનેલા પોતાના ચેલાને વંદન કરે છે. એમાં વ્યક્તિ નહિ પણ પદનો મહિમા છે. ગુરુ મહારાજ પોતાના શિષ્યને વિધિપૂર્વક વંદન કરે એવી જિનશાસનની પ્રણાલિકા અજોડ છે. અન્ય કોઈ ધર્મમાં આવી પ્રણાલિકા નથી. આથી જ શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છેઃ जे माय तायबांधवपमुहेहिंतोऽवि इत्थ जीवाणं ।। साहति हिअं कज्जं ते आयरिये नमसामि ।। [જે જીવોનું માતા, પિતા તથા ભાઈ વગેરેથી અધિક હિતકાર્ય કરે છે તે આચાર્યોને હું નમસ્કાર કરું છું].
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આચાર્ય પદની પૂજામાં અંતે આ જ ભાવના
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org