SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ રૂઢિબલીયસી ૧ ૨ ૩ આરાધના કરી કનકકેતુ રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૫) સુપાત્રદાન પદની આરાધના કરી હરિવહન રાજા તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૬) વૈયાવચ્ચ (જિનપદની) આરાધના કરી નિયતકેતુ તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૭) સંયમપદની આરાધના કરી પુરંદર રાજા તીર્થકર નામકર્મ બાંધે છે. (૧૮) અભિનવ જ્ઞાન પદ આરાધી સાગરચંદ્ર તીર્થંકર નામકર્મ બાંધે છે. (૧૯) શ્રુતપદની આરાધના કરી રત્નચૂક તીર્થકર નામકર્મ બાંધે છે. (૨૦) તીર્થપદની આરાધના કરી મેરુપ્રભ તીર્થકર નામકર્મ બાંધે છે. ઉપર પ્રમાણે વીસપદોની આરાધનામાંથી એક એક પદની આરાધના કરનાર આ ૨૦ પુણ્યશાળી મહાત્માઓ હતા. એમણે એક એક પદની આરાધના કરીને તીર્થકર નામકર્મ નિકાચિત કરી મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર બનીને મોક્ષ પામ્યા. વીસસ્થાનકો ક્યા ક્યા તે પણ અહીં રજુ કરાયાં છે. આત્માના ગુણોનો વિકાસ કરી ૧૪ પગથિયાં ચઢવા માટે ધર્મ અને કર્મ વિષે સ્પષ્ટ ખ્યાલ રહેવો જોઇએ. તે માટે સતત જાગૃકતા રહેવી જોઇએ. ત્યારબાદ ભાવનિર્જરા જેમ બને તેમ વધુ ને વધુ કરવી જોઇએ. તે માટે મારે સમકિત પામવું છે તે મંત્ર ગુંજ્યા કરવો જોઇએ કેમકે તે સમગ્ર ક્રિયાકલાપ આગળ એન્જિનની જેમ એકડાનું કાર્ય કરે છે. હતાશ થયા વગર આપણે જાણીએ છીએ કે પંચમ આરાના અંતે એક સાધુ, એક સાધ્વી, એક શ્રાવક અને એક શ્રાવિકા જૈન ધર્મનો વાવટો ફરકાવનારા હશે. આર્ય ક્ષેત્રમાં જન્મી જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી છે તે યોગ્ય ફળ આપે તે માટે અધર્મ જેમ બને તેમ શૂન્ય સ્થિતિએ પહોંચે તો બેડો પાર થયા વગર રહે કરો ? જૈન દર્શનમાં નમસ્કારનું અદ્વિતીય મહત્ત્વ છે. તેથી મનનું ઉન્મનીકરણ થતાં એક્કો વિ નમુક્કારો જીનવર વસહસ્સ તારે ઈ નર વ નારીવા, સ્ત્રી તથા પુરુષ બંને મોક્ષના અધિકારી છે તે અત્રે બતાવ્યું છે. અહીં જણાવેલો એક્કોવિ નમુક્કારો જો તે સામર્થ્યયોગનો થાય તો સમકિતી જીવ પરંપરાએ મોક્ષ માટેનો આત્મવિકાસ કરે કેમકે તે હવે ૧૪ ગુણસ્થાનકોની સીડી પર આરૂઢ થઈ ૧૩-૧૪ગુણસ્થાનકે વીતરાગ દશાને પ્રાપ્ત કરી કેવળી થશે જ. કારણ કે સિદ્ધો “પારગયાણ પરંપરાએગયાણ લોસગ્નમુવગયાણ” સ્થિતિએ પહોંચેલો છે. આ બધું મનનું ઉન્નનીકરણ થતાં, આમર્મયોગ સિદ્ધ થતાં શક્ય બને છે જે માટે આપણે આશાવાદી થવું રહ્યું, તે માટેનો સુપુરુષાર્થ કરી સર્વ આત્મશક્તિ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy