SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર વલણને તેણે લક્ષ્યમાં રાખ્યું નહીં, તેથી તેના એવા સંબોધનથી પેલો તાપસ ઊલટો પોતાનો ઉપશમ સ્વભાવ, જે તેણે કેટલોક વખત જાળવી રાખ્યો હતો તે ગુમાવી બેઠો અને અત્યંત ક્રોધાયમાન થઈ પોતાના તપના સામર્થ્યથી તેણે અત્યંત ઉગ્ર વહિનવાલા પ્રકટ કરી ગોશાળાની સામે પ્રેરી. ગોશાળાનું શરીર અગ્નિથી બળવા માંડ્યું અને પરિત્રાણ માટે તે પ્રભુની પાસે આવ્યો. પ્રભુએ આ તેોલેશ્યા સામે ગોશાળાનું રક્ષણ કરવા તેની વિરોધી શીતલેશ્યા મૂકી. એટલે તે અગ્નિનું સામર્થ્ય નષ્ટ થઈ ગયું. પ્રભુની આ શક્તિ જોઈ વૈશિકાયન તાપસ તેમની પાસે આવી પ્રભુની સ્તુતિ કરવા લાગ્યો. તે બોલ્યો કે, “હું આપનો પ્રભાવ સમજી શક્યો નહીં તેથી મારું આ આચરણ ક્ષમા કરશો. પ્રભુ તો ક્ષમાની જ મૂર્તિ હતા. તેમને બદલો લેવાનું તો કાંઈ હતું જ નહીં. ૬૫ Jain Education International2010_03 For Private & Personal Use Only ,, તપના પ્રભાવથી ઉદ્દભવતો આવો અમાનુષી બનાવ જોઈ ગોશાળો આશ્ચર્યનિમગ્ન બની ગયો. અત્યાર સુધીમાં તેણે આવો ચમત્કાર જોયો નહોતો. માત્ર શાંત સુધારસમય પ્રભુનું અલૌકિક ચારિત્ર જ અનુભવ્યું હતું, પણ આ તપોબળથી પ્રકટતો દૈવી વ્યતિકર તો તેણે પ્રથમ જ જોયો. તેણે પ્રભુને રસ્તામાં ચાલતાં પૂછ્યું, “હે ભગવાન, આ તેોલેશ્યા શાથી પ્રકટી હશે ?' પ્રભુએ તેનો વિધિ કહ્યો. ગોશાળો હાલના સેકડે નવાણું મનુષ્યની માફક વાતો અને વિધિ સાંભળીને જ સંતોષ માનનાર નહોતો. તેણે તે વિધિ અમલમાં www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy