SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર ક્રિયામાં વિઘ્ન નાંખવા પ્રયત્ન કરતા હતા. પ્રથમ તેઓ આર્યોની વસતીમાં ઘણેભાગે રહેતા હતા, પણ જેમ જેમ આર્યો સત્તામાં આવતા ગયા તેમ તેમ તેમને જુદા દૂરના પ્રદેશોમાં હાંકી કાઢવામાં આવ્યા હતા. મહાવીરના યુગમાં તેવા મ્લેચ્છ લોકો ઘણે ભાગે મગધ, રાજગૃહી, વૈશાલી આદિ સભ્ય પ્રદેશ સમૂહની પૂર્વે અને દક્ષિણે દરિયાકાંઠે વસતા હતા. મહાભારતની છેલ્લી આવૃત્તિ થઈ ત્યારેમહાવીર પ્રભુના કાળ પછી લગભગ બસે વર્ષે-ઉપરોક્ત પ્રદેશો અનાર્ય પ્રદેશો તરીકે ઓળખાતા હતા. *આ મ્લેચ્છ પ્રદેશો આર્ય પ્રદેશોથી બહુ દૂર હોય એમ જોવામાં આવતું નથી. પૂર્વમાં આસામ અને દક્ષિણ પૂર્વ બંગાળમાં તેમનો નિવાસ હોય એમ અનુમાન થાય છે. કેમકે આ પ્રદેશમાંથી મ્લેચ્છોના દેશમાં અને મ્લેચ્છના પ્રદેશથી આર્યોના દેશમાં. પ્રભુ ટૂંકી મુદતમાં આવી શકતા હતા. નવમું ચાતુર્માસ અનાર્ય ભૂમિમાં આવ્યાની હકીકત સુપ્રસિદ્ધ છે. * ૬૨ The Dravidians and the Vangas in the farthest south and the farthest east were still looked upon as non-Aryan people, while the people of Arya-Varta delighted in calling themselves and prided themselves upon their moral superiority to other races. (Epic India) અર્થાત્ - દૂરતમ દિક્ષણ અને પૂર્વ પ્રદેશસ્થ દ્રાવીડિયનો અને વંગ (પૂર્વ બંગાળ)ના લોકો અનાર્ય તરીકે લેખાતા હતા અને આર્યાવર્તના લોકો પોતાને આર્ય શબ્દથી સંબોધવામાં આનંદ માનતા અને બીજા કરતાં પોતાની આધ્યાત્મિક ઉચ્ચતા માટે અભિમાન રાખતા હતા. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy