SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શ્રી મહાવીર વિચરતા મુનિઓ માટે બહુ સાર ગ્રહણ કરવા યોગ્ય છે. અનાર્ય ક્ષેત્રમાં જવા વડે ખરી રીતે પ્રભુ ઉપસર્ગના પ્રદેશમાં ગયા નહોતા પણ સન્માન, સ્તુતિ અને સત્કારના અનુકૂળ ઉપસર્ગથી બચ્યા હતા. પોતા પ્રત્યે થતું પ્રતિકૂળ આચરણ એ માત્ર એક જ ઉપસર્ગ નથી, પરંતુ જેના પરિણામે આત્મા સંસારમાં ઊડો સરી ન જાય તે જ ખરો ઉપસર્ગ છે. અને બાળ હૃદય માટે સ્તુતિજન્ય અભિમાન જેવું બીજું એક અનિષ્ટ નથી. આ વાત જરૂર, પ્રભુના હૃદયમાં હોવી જોઈએ. નહીંતર પોતાના વર્તનથી જગતને કયો બોધ પૂરો પાડવો તેમને ઈષ્ટ હોય? તીર્થકરના જીવનનો એક પણ બનાવ નિર્દેતુક હોતો નથી. તેના એક સૂક્ષ્મમાં સૂક્ષ્મ વ્યતિકરમાં પણ કાંઈક ઊંડો મર્મ રહેલો હોય છે. અને પ્રભુના અનાર્ય ક્ષેત્રમાં વિહરવારૂપ વર્તનમાંથી ઉપર જણાવ્યા સિવાય અન્ય એક બોધક ધ્વનિ નીકળતો ન હોવાથી એ જ બોધામૃતનું પાન કરાવવાનો પ્રભુનો આશય હોય એમ સ્વીકાર્યા વિના ચાલતું નથી. પરિચિત અને સ્તોતૃવર્ગના સંકીર્ણ પ્રદેશની સીમાના આવરણને ભેદી આપણો મુનિસમુદાય પ્રભુના આ આશયને ક્યારે સફળ કરશે ? જે કાળે આઠમું ચાતુર્માસ પૂર્ણ કરી પ્રભુ પ્લેચ્છો અથવા અનાર્ય ભૂમિમાં વિચર્યા તે કાળે આર્ય અને અનાર્યનો ભેદ માત્ર આચરણ અને સભ્યતાના ધોરણ ઉપર હતો. આર્ય અને અનાર્ય એવા જે વિશિષ્ટ વર્ગ વૈદિક યુગમાં પ્રવર્તતા હતા તે મહાભારતની લડાઈ પછી લગભગ લુપ્ત થઈ, માત્ર નામાવશેષરૂપે જ રહેવા પામ્યા હતા. આર્ય અને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy