SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ પર શ્રી મહાવીર હતા, તે અવસરે ગોશાળો મહાવીરના સંબંધમાં આવવાથી તેણે જે બોધ પ્રભુ પાસેથી પોતાની મનોકલ્પનાએ ગ્રહણ કર્યો હતો તે તદ્દન એકતરફી અને અનિષ્ટકર નિવડ્યો. પોતાની મતિકલ્પના અને અનુમાન વડે જે કાંઈ ગ્રહણ કરવામાં આવે છે તે કેટલીકવાર કેવું અહિતકાર થઈ પડે છે, તેનું ગોશાળો એ યોગ્ય દૃષ્ટાંત છે. તે ઘણીવાર પ્રભુને ભાવીમાં બનવાના પ્રસંગો સંબંધે પૂછતો અને પ્રભુ તેનો જે ઉત્તર આપતા તે જ પ્રમાણે બનતું હોવાથી તેણે નિશ્ચય બાંધ્યો કે, જે કાંઈ બનવા યોગ્ય છે તેમાં મનુષ્યના પ્રયત્નથી કોઈ કાળે અન્યથા થઈ શકતું નથી. આ “નિયતિવાદ” તેના હૃદયમાં અનેક કારણોથી એવો દૃઢપણે ઠસી ગયો હતો કે તે તેના જીવન પર્યત ખસ્યો નહીં અને પાછળથી પણ એ જ કારણથી તે જૈન ધર્મથી વિમુખ થઈ પોતાના સ્વછંદને વિસ્તારવા લાગ્યો. આ મતભેદનાં કારણોથી આપણ ઘણાય જૈન ગ્રંથકારોએ ગોશાળાને અત્યંત અસહિષ્ણપણે નિંઘ સ્વરૂપમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, છતાં એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે, ગોશાળાને જેવો મૂર્ખ, કમઅક્કલ અને છેક ઉન્મત્ત ચિતરવામાં આવ્યો છે તેવો તે નહોતો. ખરું છે કે મતભેદની દૃષ્ટિ આપણને સામા મનુષ્યને તેના ખરા સ્વરૂપે જોવામાં અંતરાય કરે છે અને આપણા રાગદ્વેષના તારતમ્ય અનુસાર તેના વાસ્તવ સ્વરૂપને આપણે જૂનાધિક અંશે વિકૃતરૂપે જોઈએ છીએ, છતાં પ્રસ્તુત પ્રસંગે એવા મતભેદનાં કારણોથી ગોશાળાને જેવા રૂપે કેટલાક જૈન ગ્રંથકારો આપણી આગળ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy