SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી મહાવીર દુનિયાને પ્રકાશમાં લાવવા આવેગથી પ્રેરાયેલા દયાપાત્ર મનુષ્યો !!! કોઈના હૃદયને અરુચિ થાય તેવી વાત યદ્યપિ આપણને પોતાને ગમે તેવી કલ્યાણકારક ભાસતી હોય તો પણ બળાત્કારથી તેમની આગળ ધરવી અને તેમની પાસે તે સાચી મનાવવાનો પ્રયત્ન કરવો, તે તલવારના જોરથી પોતાનો ધર્મ બીજા પાસે મનાવનાર કોઈ પૂર્વના મુસલમાન રાજાઓના જેવું જ કાર્ય છે. બંનેની કાર્યપદ્ધતિમાં એટલું બધું સરખાપણું છે કે બંનેને એકબીજાથી ભાગ્યે જ ચઢતા ઊતરતા માની શકાય. એક સ્થળે પોલાદના શસ્ત્રનો ઉપયોગ થાય છે. તો બીજે સ્થળે વાણી રૂપ હથિયારનો ઉપયોગ થાય છે. એકનો આઘાત સ્થૂળ શરીર ઉપર થાય છે, ત્યારે બીજાનો પ્રહાર હૃદયના મર્મભાગ ઉપર અથડાય છે. તફાવત એટલો જ છે કે જયારે એકનો ઘા જૂનાધિક કાળે રૂઝાય છે ત્યારે બીજાનો માર્મિક ઘા મરણપર્યત અને તે પછીના ભવપ્રવાસમાં પણ અવ્યક્તપણે કાયમ જ રહે છે. પોતાના નિશ્ચયો - પછી ભલે તે યોગ્ય હોય કે અયોગ્ય – બીજાના ગળે બળાત્કારથી ઉતારવાનો પ્રયત્ન કરનાર મનુષ્ય પોતાનું તેમ જ સામાં મનુષ્યનું એકાંતપણે અહિત જ કરે છે. કદી પોતાનો નિશ્ચય ઉત્તમ અને હિતકારક હોય તો, તેને સામાના હૃદયમાં પરાણે ઉતારવાની પોતાની અયોગ્ય પ્રવૃત્તિથી ઊલટો તેને તે ઉત્તમ નિશ્ચયથી વધારે ને વધારે વિમુખ રાખે છે, એટલું જ નહીં પણ એક વાર આ પ્રમાણે સામાના Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy