SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. શ્રી મહાવીર વાવટો પકડીને ઢોલકીઓ બજાવતા તેઓ ઘૂમ્યા કરે છે. તેઓ એમ જ માનતા હોય છે કે મારી આવી દૈવી ઘેલછાનો રંગ આખા વિશ્વ ઉપર ઘડીના છઠ્ઠા ભાગમાં બેસી જશે અને આખું જગત મારા નિશ્ચયને અનુસરવાવાળું બની જશે. ઘણી વાર તો તેઓ એમ પણ માની લે છે કે આવો આવેગ મને પરમેશ્વર અથવા તેથી ઊતરતી કોઈ બીજી દૈવી સત્તા તરફથી પ્રેરવામાં આવેલો છે, અને તે સત્તાએ મારી મારફત આ વિશ્વની સુધારણા કરવાનું કામ આદરેલું છે, છતાં જ્યારે જગત તેમના સુખદ નિશ્ચયો ઉપર મોહ પામી તૂટી પડતું તેઓ જોતા નથી, અને તેમને સોનાના પુષ્પોથી વધાવી લેનાર કોઈ પણ નીકળી આવતું નથી, ત્યારે તેઓને પ્રથમ તો આશ્ચર્ય થાય છે કે આ તે શું થવા બેઠું છે ? મારી આવી અસાધારણ તત્ત્વની વાતો સાંભળવા શા માટે લોકો દોડી આવતા નથી ? પછી તેઓ છેડાઈ પડે છે અને આખા જગતને મૂર્ખ, અજ્ઞાન, દુર્ભવ્ય, પાપમાં મચી રહેનાર વગેરે અનેક ગાળો ચોપડવા માંડે છે. તેઓ પોતાના લેખો કે ભાષણોમાં પણ, પોતે જાણે કોઈ જગતને બહારની વ્યક્તિ હોય અને પોતાના સિવાય બીજા બધા અંધકારના યુગમાં રહેતા હોય એવા ભાવના વાક્યપ્રયોગો કરતા હોય છે. તેમના ગમે તેટલા ધમપછાડા છતાં જગતનું રગશિયું ગાડું તો જેવું ને તેવું જ ધીરી ગતિએ પોતાના નિત્યના ક્રમ ઉપર, જયારે તેઓ ચાલતું જુએ છે, ત્યારે તેઓ જગતના કલ્યાણ સંબંધે તદન નિરાશ થઈ જાય છે. ઉપદેશકો ! પાછા ફરી જરા તમારા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy