SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૪૩ અંત:કરણની ભૂમિકાનું અવલોકન કરો અને ત્યાં તમને દીવા જેવું સાફ જણાશે કે જે નિશ્ચયો તમે જગત પાસે અનુસરાવા માંગો છો તેનો તમને મુદલ અનુભવ નથી, તમારે પોતાને હજી સેકડો બાજુએથી સુધરવાનું બાકી છે. દુનિયા સુધરવા તૈયાર છે, પણ પ્રથમ તમે પોતે સુધરીને આવો. પછી જગતને તમારું ચારિત્ર અને આચરણા જ તેમને માટે દીવાદાંડીનું કાર્ય કરશે. આથી કોઈના ઉપર આક્ષેપ કરવાનો મુદલ આશય રાખ્યો નથી. માત્ર મનુષ્યહૃદયમાં ગુપ્ત અને નિગૂઢપણે રહેલી એક ત્યજવા યોગ્ય નબળાઈને ઉઘાડી પાડવા પ્રયત્ન કર્યો છે. પ્રભુએ કૈવલ્ય પ્રાપ્ત થયા પછી પણ જે શૈલીએ ઉપદેશ પ્રવૃત્તિ કરી હતી તેમાંથી પણ અનેક શિક્ષણીય અંશો ગ્રહણ કરવા યોગ્ય છે. તેમણે કદી જ હાલના ઉપદેશકોની માફક બીજાઓનાં છિદ્ર શોધવા અથવા બીજાઓના ધાર્મિક વર્તન કે આચારવિચાર ઉપર ચોધારી ગ ફેરવવા ઉદ્યોગ કર્યો નથી. વિશ્વનું સર્વોત્કૃષ્ટ કલ્યાણ કરવા માટે જ તેમના તીર્થંકરપદનું નિર્માણ થયું હતું, છતાં તેમણે તે નિર્માણ સિદ્ધ કરવા માટે કોઈને પોતાનો ઉપદેશ પરાણે અથવા સામાની અનિચ્છા છતાં આપવાનો પ્રયત્ન કર્યો નથી. તેમજ તેમના આચારવિચારને તરછોડી નાંખી, પોતાના વાડામાં આવવાને લોકોને લલચાવ્યા નથી. તેમની ઉપદેશપદ્ધતિ શાંત, રુચિકર, દુશ્મનને પણ તુર્ત ગળે ઉતરે તેવી હૃદયસ્પર્શી, મર્મગ્રાહી Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy