SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४० આફરો ઊતરતો નથી. પોતે પોતાના મનથી જે સુખનો માર્ગ શોધી કહાડયો હોય છે તેને આચારમાં ઉતાર્યા વિના અને તેનો અનુભવગત લાભ લીધા વિના બીજાને પોતાના નિશ્ચયો ઠસાવવાનું ગાંડપણ આ જમાનામાં એક સાધારણ દર્દ થઈ પડ્યું છે. અહીં-તહીંથી બે ચાર વાતો ભેગી કરી તેઓ મિનારે ચઢીને પોકારે છે કે, ‘અરે મૂર્ખાઓ ! મેં જે સુખનો માર્ગ ખાસ તમારે માટે શોધી કાઢ્યો છે તેનો શા માટે તમે સ્વીકાર કરતા નથી ?' પરંતુ જ્યારે જગત તેમની કાંઈ જ પરવા કરતું નથી ત્યારે તેઓ કકળી ઊઠે છે કે ‘હવે જરૂર પાંચમા આરાના ભાવ ભજવાવા માંડ્યા છે. જો તેમ ન હોય તો અમૃતના જેવો અમારો ઉપદેશ શા માટે આ લોકને ન રુચે ?' પણ તેમને ભાગ્યે જ ખબર હોય છે કે જગતના હૃદય ઉપર ભાસતો પંચમકાળનો પટ એ બીજું કશું જ નહીં પણ તેમના પોતાના હૃદયાંધકારની પ્રતિછાયા હોય છે. જે હિત સાધવા પારકાને તેઓ ઉપદેશ આપતા હોય છે તે હિત પોતાના સંબંધે તેમણે કેટલે દરજ્જે સાધ્યું હોય છે, એ જોવાની દરકાર તેમને કરવી પાલવતી નથી. પોતાની આંતરશુદ્ધિ અને ભાવચારિત્રની પૂર્ણતાના પ્રમાણમાં જ જગત તેમના વડે પરમ હિતના માર્ગે દોરાય છે; એ સિદ્ધાંતના વિસ્તરણપૂર્વક તેમનો બધો જ ઉદ્યોગ થતો હોવાથી તેમને પંચમકાળનો પ્રભાવ પ્રતિક્ષણે ઘનીભાવ પામતો જાણાય છે. Jain Education International 2010_03 શ્રી મહાવીર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy