SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર સુધારી નાખવાનો આવેગ એ એક પ્રકારની નબળાઈ સિવાય બીજું કશું જ નથી. આવી નબળાઈમાં તણાઈ જઈ પોતાના હિતમાં પ્રમાદ સેવવાને પ્રાકૃત હૃદય કેટલું બધું પાત્ર છે તે પ્રભુ જાણતા હતા. અને તેથી જ તેમણે પોતાના મૌન ચારિત્રથી પરોક્ષ રીતે આવી નબળાઈથી પોતાનું રક્ષણ કરવાનો આપણને ઉપદેશ આપ્યો છે. જે દોષો પોતામાં વિદ્યમાન છે તે દોષો ત્યજવાનો ઉપદેશ સામા અંતરઃકરણ ઉપર માઠી અસર પ્રકટાવે છે. આવી માઠી અસર ભવિષ્યમાં ઓછી થવા પામે તે માટે જ પોતાના દૃષ્ટાંતથી પ્રભુએ બતાવી આપ્યું કે ઉપદેશકનું સાધકપદ જેટલે અંશે પૂર્ણ થાય તેટલે જ અંશે તે બીજાઓને ઉપદેશ આપવાને લાયક થયો ગણાય છે. ૩૯ આજની પરિસ્થિતિઓનું અવલોકન કરતાં પ્રભુના ઉદ્દેશ કરતાં કાંઈ જુદું જ દશ્ય ચોતરફ નજરે ચઢે છે. જે આવેશને રોકવા માટે પ્રભુએ પોતાના બાર વર્ષના મૌનવ્રતથી ઉદાહરણ બેસાડવા મહેનત કરી હતી, તે આવેશ પોતાના સ્વહિતના ભોગે ઉપદેશકોમાં ભયાનક રીતે ફાટી નીકળ્યો છે. આજે તો કાંઈક સહેજ નવુંસવું જાણ્યું કે તુર્ત જ મોભારે ચઢીને મોટા હોકારા પાડીને બીજાને તેનો લાભ આપવાની મિથ્યા પરમાર્થવાળી વૃત્તિ લોકોમાં દુર્નિગ્રહ થઈ પડી છે. બિલાડીના પેટમાં જેમ ખીર ટકતી નથી તેમ આવા મનુષ્યો પોતે જાણેલું - પછી તે ખરું હો કે ખોટું - જ્યાં સુધી બીજાને ન સંભળાવે ત્યાં સુધી તેમને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy